SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ રિ૭૪) સર્ગ - ૧૨ આથી હું તમારી આજ્ઞાથી ત્યાં જાઉં છું. યુધિષ્ઠિરે કહ્યું: “જાઓ.” ત્યાંથી માદ્રી માતાના ભાઈ શલ્ય દુર્યોધન પાસે ગયા. પ્રભાતનો સમય થતાં પાંડવની સેનાએ ત્યાંથી કુરુક્ષેત્ર તરફ પ્રયાણ કર્યું. એ પ્રમાણે ક્રમપૂર્વક માર્ગમાં આગળ વધતાં કૃષ્ણની અને પાંડવોની એ બંનેની સેના કુરુક્ષેત્રની નજીકની ભૂમિ સુધી આવી ગઈ. અહપૂર્વક બધા સૈનિકોએ સરસ્વતી નદીના કાંઠે રહેલા શીતળ વૃક્ષોની છાયાનો આશ્રય લીધો. કેટલાક સૈનિકોએ વ્યાપારીઓના ઘોડાના વેગ જેવા વેગ(ઝડપ)થી પટમંડપો (તંબૂઓ) તૈયાર કર્યા. સૈનિકોના હાથીઓ તે નદીમાં ક્રીડા કરતાં પર્વતના જેવી શોભાને ધરતા હતા. ઉતારી દીધેલા ભારવાળા સૈનિકના ઊંટો નદીની રેતીમાં ક્રીડા કરતા હતાં. ઘોડાના સમૂહો તે રેતીમાં ખૂરથી લખતાં હોય તેમ ખેલતા હતા. એ પ્રમાણે બધા સૈનિકો સ્વેચ્છાપૂર્વક ક્રીડા કરતા અહમિન્દ્રોની જેમ શોભતા હતા. રસ્તાના થાકથી થાકી ગયેલી, વૃક્ષની છાયામાં નિદ્રાને લેતી, વિખરાયેલા (અસ્તવ્યસ્ત) કપડાંવાળી રાજાઓની સ્ત્રીઓને પણ લોકોએ સ્વેચ્છા પૂર્વક જોઈ. સૈન્યના બળદો સ્નાન કરી પાણી પીને અહીંતહીં ફરતા સરસ્વતી નદીના કાંઠા પર ચંદ્રથી પણ ઉજ્વલ સમુદ્રની ભરતીમાં ઉછળતા ફેણની જેમ શોભતા હતા. તે બળદો પરસ્પર યુદ્ધ કરતાં હતાં, તે સમયે બળદો કોના મનમાં નથી રમતા ? રસ્તાના થાકને દૂર કરવા માટે સૈનિક લોકો કમળોથી શોભતા નદીના પાણીમાં ન્હાતા હતા. કેટલાક સૈનિકો ઉછળતા પ્રેમવાળા બે રથોને પરસ્પર ક્રીડા કરતા જોઈને થાક ભૂલી જઈને લાંબાકાળ સુધી રેતીમાં ઊભા રહ્યા. તે નદીના કાંઠે હંસયુગલને જોઈને પોતાની પ્રિયા સાથે પ્રેમથી વિંધાયેલા ત્યાંજ ખેલવા લાગ્યા. કેટલીક ભ્રમરીઓને ભ્રમરના સમૂહ સાથે વનરાજીઓમાં ગુંજારવ કરતી સાંભળીને આકર્ષિત થયેલી અંગનાઓ કાનને સ્થિર કરી ઊભી રહી. કેટલીક રૂપજીવિનીઓ રસ્તામાં લાગેલા શ્રમને દૂર કરવા માટે સ્નાન કરીને કેલિઘરોમાં સ્નેહથી વીંધાયેલી તેણીઓ યાદવકુમારો સાથે સ્વેચ્છાપૂર્વક ક્રીડા કરવા લાગી. કેટલાક કામુકો ખજૂર, નારિયેળ, જાંબુ, લીંબુવાળા નંદનવનની ઉપમા સમાન ઉદ્યાનમાં ચંપક, અશોક, સુપારી, કેળા, આંબાના વનમાં સ્ત્રી મિત્રોની સાથે પ્રેમગોષ્ઠી કરતા હતા. એ પ્રમાણે તેઓએ કેટલાક દિવસો તે સરસ્વતી નદીના કાંઠે પસાર કર્યા. એક દિવસ દાંડાને કાખમાં (બગલમાં) નાખીને કોઈ પ્રતિહાર રાજગૃહીથી આવીને અંજલિ જોડી યુધિષ્ઠિરને કહ્યું: “હે યુધિષ્ઠિર ! હે રાજેન્દ્ર ! હું હમણાં રાજગૃહીથી આવું છું. વરશેખર નામનો હું કૃષ્ણના આદેશથી રાજગૃહે જઈને જરાસંઘનું સ્વરૂપ જાણીને તે વૃત્તાંતને કૃષ્ણને કહીને પછી કૃષ્ણની આજ્ઞાથી આપની પાસે આવ્યો છું.” હવે જરાસંઘનો વૃત્તાંત સાંભળો, હે દેવ ! સોમક નામનો જરાસંઘનો દૂત જે પહેલાં રાજગૃહીથી દ્વારિકામાં આવ્યો હતો. તે સમુદ્રવિજયથી તિરસ્કાર કરાયેલો ફરી જરાસંઘની પાસે ગયો. તેણે સમુદ્રવિજયનો વૃત્તાંત કહ્યો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy