SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૨૭૨ સર્ગ - ૧૨ હે સમુદ્રવિજય ! હજુ પણ તું સમજ, પોતાના હિતને વિચાર. આ રામબલભદ્ર અને કૃષ્ણને બાંધીને મોકલ. જેથી તારા કુળનું કુશલ થાય. આ બેઉને આપીને તમારા કુટુંબનું રક્ષણ કરો. દૂતની આવી વાણી સાંભળીને કૃષ્ણ કહ્યું : “હે સોમક ! તારો સ્વામી ગોપ ગોપ એમ કહેતાં (બોલતાં) કેમ લજ્જા પામતો નથી ? હું બાલઘાતના પાપી કંસને મારનારો છું. હવે તેનો પક્ષપાત કરનાર જરાસંઘને પણ હણીશ. તેણે હણીને જ્યારે પૃથ્વીની રક્ષા કરીશ ત્યારે હું ગોપ, નહીં તો હું કેવી રીતે ગોપ?” ગોપ તારો સ્વામી જે ગાયોને ચરાવે છે. તે જ ગોપ.” એમ કહીને સોમકનો તિરસ્કાર કરીને ફરી કૃષ્ણે કહ્યું : કૌરવો સામે આવો, મારા ક્રોધરૂપ દાવાનલમાં પહેલાં ભસ્મીભૂત થાઓ. પછી જરાસંઘ પણ ભસ્મીભૂત થશે. તું જા, જઈને તારા સ્વામી જરાસંઘને જલ્દી લઈ આવ. રાજગૃહી નગરે દૂત ગયો. ત્યાં જઈને તે દૂતે સમુદ્રવિજયે કહેલું અને કૃષ્ણ કહેલું બધું જ કહ્યું. જરાસંઘનો પ્રકોપ ભભૂકી ઉઠ્યો. કૃષ્ણ પણ સોમક દૂતે કહેલું પાંડવોને જણાવ્યું. તે સાંભળીને પાંડવો ખુશ થયા. વળી શુભ લગ્ન, શુભ મુહૂર્ત મંગલ કરેલા, સૈન્યથી પરિવરેલા દ્વારિકા નગરીથી યુદ્ધને માટે પાંડવોએ પ્રયાણ કર્યું. એ પ્રમાણે બીજા પણ રાજાઓ દ્રુપદ, વિરાટાદિ તેઓની પાછળ ચાલ્યા, પછી દેવકીએ કરેલા મંગળવાળો, રાજાઓ અને સૈનિકોથી પરિવરેલો, ભાઈઓ અને પુત્રોથી પરિવરેલો, બલભદ્ર સાથે કૃષ્ણ સંગ્રામને માટે પ્રયાણ કર્યું. તેની પાછળ સમુદ્રવિજયે ભાઈઓ સાથે નેમિ. મહાનેમિ, સત્યનેમિ, દઢનેમિ આદિ ક્રોડ કુમારોથી પરિવરેલા યુદ્ધને માટે પ્રયાણ કર્યું. એ પ્રમાણે બીજા પણ સૈન્ય સાથે યાદવો, યાદવમિત્રો, વસુદેવ અને દેવની સહાયવાળા વિદ્યાધરો વસુદેવની પાછળ ચાલ્યા. ગંગા અને યમુનાની જેમ યાદવો અને પાંડવોની સેના ભેગી થઈને યુદ્ધ સાગરમાં જવા માટે ચાલ્યા. દ્વારિકા નગરીથી નીકળતી સેનાને કૌતુકથી જોવા માટે લાખો ઝરૂખામાં નીકળેલા નગરની નારીઓના લાખો મુખ જોઈને પંડિતો આ પ્રમાણે કલ્પના કરે છે. જાણે શું આકાશતલમાં લાખો ચંદ્ર નીકળ્યા ન હોય ? કૃષ્ણના પ્રયાણ વખતે જયમંગલ વાજિંત્રોમાંથી નીકળતો અવાજ કૃષ્ણ મંથેલા સાગરના ધ્વનિની યાદ આપતી હતી. તે પછી જગ્યાએ-જગ્યાએ નગરના લોકોના માંગલિકોને સ્વીકારતા યાદવો અને પાંડવોએ પ્રયાણ કર્યું. આગળ જતાં રસ્તામાં ઉતાવળથી ઘોડા પરથી ઉતરતી વિખરાયેલા (અસ્તવ્યસ્ત) કપડાવાળી કોઈ દાસી નીચે પડી. સૈનિકોને હાસ્યને પાત્ર બની. માર્ગમાં આગળ વધતાં યાદવ અને પાંડવોના રહેવાના (છાવણીના) શુદ્ધ મધ્યભાગમાં તંબૂઓ કંચુકીની શ્રેણીએ રોકી લીધા. અર્થાત્ અંતઃપુરના દ્વારોએ કંચુકીઓ પહેરેગીર બની ઊભા રહ્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy