SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૧૨ મેં પિતાની આગળ કહ્યું હતું, મારભયથી (વાલા) યાદવો ક્યાંય પણ રહો, તેઓને હું પકડી લઈશ. હું આ મારા શત્રુ યાદવોને દાવાનલમાંથી ખેંચું છું. એમ કહીને તે દાવાનલમાં કાલકુમારે છલાંગ મારી પ્રવેશ કર્યો. કેટલાક સૈનિકોએ પણ વિચાર કર્યા વિનો તે પ્રમાણે કર્યું. એટલે કે તેની પાછળ તે સૈનિકો પણ અગ્નિમાં કૂદી પડ્યા. જેઓ તે ચિતામાં પડ્યા, તે બધાય મરણને પામ્યા. પછી તેનું સૈન્ય પાછું રાજમહેલે જરાસંઘની પાસે આવ્યું. યાદવ સૈન્ય અને કુમારાદિના મરણના સમાચાર જાણી હર્ષ અને શોકથી ભરેલા મનવાળો જરાસંઘ સુખપૂર્વક રહ્યો. પછી તે જીવયશા પતિને, ભાઈને અને તમને (સમુદ્રવિજય)ને શ્રદ્ધાંજલિ આપીને વૈરના બદલાથી રાજી થઈ. એ પ્રમાણે કાળ જતાં કેટલાક વર્ષે કોઈક વ્યાપારીએ રત્નકંબલો લઈને જીવયશાને બતાવી. તેનું તેઓએ મૂલ્ય ઘણું કહ્યું, જીવયશાએ ઓછી કિંમતે માગતાં વ્યાપારીઓએ કહ્યું : “આનાથી આઠગુણા મૂલ્યથી દ્વારિકા નગરીના રાજાએ માગી, પરંતુ એ એથી મોંઘી હોવાથી તે અમે આપી નથી.” આ અર્ધચક્રી વાસુદેવનું નગર એવું રાજગૃહ છે. અહીંયા તો મહાકિંમતે રત્નકંબલો આપીશું. તે સાંભળીને જીવયશાએ આશ્ચર્યપૂર્વક પૂછ્યું : “આ દ્વારિકા કેવી છે ?” તેઓએ પણ કહ્યું : “હે દેવી ! સાંભળો, લવણસમુદ્રના કાંઠે દેવોએ બનાવેલી, સોનાના કિલ્લાવાળી, સુવર્ણ મંદિરોથી શોભતી દેવપુરી જેવી દ્વારિકા નામની પુરી છે. જેમાં સમુદ્રવિજમ્ર આદિ યાદવો છે. બલભદ્ર અને કૃષ્ણ નામના તેના બે પુત્રો તેમના કુળમાં સૂર્ય અને ચંદ્રની જેમ શોભી રહ્યા છે.” જેની નૃત્ય કરતી પ્રિયંકર નામની શક્તિએ સર્વે રાજાઓને કંપાવી દીધા છે. વળી જેનું ભયંકર પરાક્રમ કંસના કલ્પાંતકાળ માટે બન્યું છે, જેણે પોતાના સમુદ્રવિજય રાજાને નિશ્ચિત કરવામાં લાંબા કાળ સુધી દેવતાથી અધિષ્ઠિત દ્વારિકાના રાજ્યને બનાવ્યું છે. હે જીવયશા ! તે કૃષ્ણ દ્વારકા નગરીનો રાજા છે. તે શું નથી સાંભળ્યું ? તે રત્નકંબલના વ્યાપારીએ કહેલું સાંભળીને પૂર્વનું વૈરનું શલ્ય યાદ આવતાં મોટા અવાજે આક્રંદ કરતી, વિખરાયેલા વાળવાળી સભામાં રહેલા જરાસંઘની આગળ જઈને પોકાર કરવા લાગી. હે તાત ! યાદવ આદિ શત્રુઓ આજે પણ જીવે છે. હે પુત્રી ! તું ચિંતા કર નહિ. જ્યારે બધા યાદવોનો સંહાર કરું, ત્યારે હું જરાસંઘ સાચો. જો તમે આ યાદવોની ઉપેક્ષા કરશો અને તેને શિક્ષા નહિ આપો તો હું તમારી સામે સળગતા અગ્નિમાં પ્રવેશ કરીશ ! હે પુત્રી ! તારું કહેલું બધું હું કરીશ. તું ચિંતા વગરની થા અર્થાત્ તું ચિંતા કર નહિ, એમ કહીને જીવ શાને પોતાના (તેના) સ્થાને મોકલી દીધી. પછી જરાસંઘે મને બોલાવીને કહ્યું : “હે સોમક ! તું યાદવોની પાસે જા ત્યાં જઈને સમુદ્રવિજયને મારી વાત કહેજે.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy