SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ (દશમો સર્ગ) હવે દેવની વાણી સાંભળીને પાડુપુત્રોએ ગુપ્ત રીતે દૈતવનથી નીકળીને વિરાટનગર તરફ પ્રયાણ કર્યું. તેઓ માતાને આગળ કરી તેની પાછળ જતાં પર્વત, ઉદ્યાન, નગર, ગામ, ખીણ વગેરેથી શોભતી એવી પૃથ્વીને ઓળંગતા વિરાટનગરીની સીમમાં આવ્યા. તે નગરને જોઈને મોહિત થયેલા મનવાળા તેઓ (તે પાંડવો) ત્યાં રહેલા સરોવરમાં સ્નાન કરીને નિર્મલ પાણી પીને માર્ગમાં ચાલતાં લાગેલા શ્રમને દૂર કર્યો. સરોવર પર રહેલા એક આંબાના વૃક્ષની નીચે છાયામાં બેસી પરસ્પર એકબીજા વાતો કરવા લાગ્યા. યુધિષ્ઠિરે કહ્યું: “હે બંધુઓ ! સામ્રાજ્યની સુરભિને ભોગવનારા ભાગ્યશાળી એવા તમને કુબુદ્ધિવાળા મેં આવી દુર્દશાને પ્રાપ્ત કરાવી. તે આ પ્રમાણે તમોએ બાર વર્ષ સુધી મારી આજ્ઞાનું પાલન કર્યું. હવે તેવી રીતે મારી આજ્ઞાથી એક વર્ષ વેશનું પરાવર્તન કરીને વિરાટનગરના રાજા મસ્ય રાજાના આવાસમાં ગુપ્ત રીતે સેવામાં રહેવાનું છે.” યુધિષ્ઠિરે કહેલું સર્વ બંધુઓએ સ્વીકાર કર્યુંતે કહેતાં કહે છે. પહેલાં નામ પરાવર્તન કરીએ તે આ પ્રમાણે, જય, જયંત, વિજય, જયસેન અને જયદલ આ પ્રમાણે નામ રાખ્યા. હે બંધુઓ ! કપરા સંયોગમાં ક્યારેક કામ આવી જાય તો તમારા ઉપર કહ્યા પ્રમાણે નામ રાખ્યા છે. મોટા ભાઈનો શિષ્ટાચાર સાચવતાં તેઓએ તે નામનો સ્વીકાર કર્યો. તે બંધુઓ ! તમારા શસ્ત્રો જોઈને લોકો આપણને આ પાંડવો છે, એવી કલ્પના કરશે. આથી તમારા શસ્ત્રો કોઈપણ સ્થાનમાં સંતાડવા યોગ્ય છે. શસ્ત્રો છૂપાવવાના કારણે તમોને કોઈપણ જાણી નહિ શકે. વિજયે કહ્યું: “હે બંધુઓ ! આ ભયંકર વનમાં એક જીર્ણ સમીવૃક્ષની નીચે ફૂંફાડા મારતો સર્પ બીલ (રાફડા)માં રહે છે. તેની નીચે છૂપાવેલા શસ્ત્રોને કોઈપણ જોશે નહિ, એમ કહીને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy