SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૮ ૨૧૩ પાંડવ ચિરત્રમ્ સમુદ્ર! નાશ પામેલા દોષવાળા ! ગુણસમુદ્ર ! જ્ઞાનરૂપ વારિને વરસાવનારા ! સત્યવીર ! નમન કરતા સુર-અસુરના નેતા ! ઇન્દ્રને નિયંત્રિત કરનારા ! મહાતેજ ભંડાર ! કમળ જેવી આંખવાળા! સમસ્ત લોકના ઉદ્ધારક ! નમેલા દેવેન્દ્રના મુગટવાળા વર્ધમાન ! ઇન્દ્રિયોને જીતવામાં પ્રધાન! વિદ્વાનોની શ્રેણીમાં શિરોમણિ ! હે પરમાત્મા, તમે જય પામો ! યશધારક! પુણ્ય ભંડાર ! કર્મને દૂર કરનારા ! વૃદ્ધત્વને જીતનારા ! સ્વકર્મ શત્રુને અલ્પ કરનારા ! મોક્ષનો આદર કરનારા ! પાંચે રોષને પોકાર કરાવવામાં પ્રવીણ ! કામદેવને હણનારા ! ક્રોધને જીતનારા ! રાજપ્રણત ગોહિર ! પ્રાહુણો માટે અમૃતાહારા ! ચરિત્રથી ખુશ કરનાર હે દેવ ! મોહાદિ શત્રુથી રહિત ! તત્ત્વદાન કરનારા ! શાશ્વત કાલ સુધી કામદેવને નમાવનારા ! તેજથી દિશાને ભરનારા ! સાગર સમ ગંભીર ! ઇત્યાદિ શાશ્વત જિનની સ્તુતિ કરીને પછી વિમાનમાં બેસીને ઇન્દ્રની સાથે સકલ સામંતાદિથી પરિવરેલો અર્જુન ઉંચા તોરણોવાળી અને ચારે બાજુ સુંદર પતાકાઓથી શોભતી દિવ્ય રાજધાનીમાં આવ્યો. પછી ઇન્દ્રની સાથે અર્જુન મંગલ આચારપૂર્વક પોતાના મહેલના દ્વાર ૫૨ આવ્યો. પછી ઇન્દ્રની પ્રિયાએ ઘણા મંગલ ગીત ગાતાં ગાતાં અર્જુનને ગૃહપ્રવેશ કરાવ્યો. ઇન્દ્ર પણ અર્જુનને સિંહાસન પર બેસાડીને તેની સામે સંગીત વગેરે મંગલ કરાવ્યું. પછી પોતાના અંગ (શરી૨) પરના આભૂષણો, દિવ્ય અસ્ત્રો, દિવ્ય વસ્ત્રો પહેરાવીને હર્ષિત થયેલા ઇન્દ્રે સભા સમક્ષ મોટા અવાજથી આ પ્રમાણે કહ્યું : “હે લોકો, આજથી લઈને આ અર્જુન મારો મોટો પુત્ર છે. બધા પુત્રોમાં શ્રેષ્ઠ અને મારા રાજ્યને ચલાવનાર છે. જેના પ્રભાવથી આ હું નિર્વિઘ્ર રાજ્ય કરૂ છું.’ અર્જુન પણ તેના વચનને સ્વીકારીને તેના પુત્ર જેવા નાના ભાઈઓ સાથે આનંદપૂર્વક તેના નગરમાં ઇચ્છા મુજબ વિચરે છે. અર્જુનના રૂપથી મોહિત થયેલી કામદેવથી પીડાતી નગરીની નારીઓ અત્યંત કામવિવશ બનતી હતી, પરંતુ અર્જુને સ્વદારા સંતુષ્ઠ વ્રતને ધારણ કરેલું હોવાથી તેઓના વચનોને અલ્પપણે પણ ન સ્વીકાર્યા. વળી વિદ્યાધર કુમારિકાઓ આવી આવીને સ્વયં વરે છે, પરંતુ તે અર્જુને પોતાના ભાઈઓના વન ક્લેશ (દુઃખ)ને યાદ કરતાં તેનો પણ સ્વીકાર ન કર્યો. તે નગરમાં ચિત્રાંગદ, વિચિત્રાંગદ, ચિત્રસેન વગેરે સેંકડો શૃંગારને ધરનારા શાસ્ત્રના પારને પામેલા ઇંદ્ર પુત્રોએ કેટલાક બીજા પણ વિદ્યાધર પુત્રોએ અર્જુનને ધનુર્વેદ આદિ વિદ્યાઓ લેવા માટે શિક્ષાગુરૂ કર્યા. અર્જુને પણ તે કુમારોને શિક્ષા આપવામાં વિચક્ષણ એવા દ્રોણ ગુરુને લજ્જા ન પામાડી. આથી જ દ્રોણની જેમ બધા કુમારોને વિદ્યા શીખવાડે છે, તે સેંકડો વિદ્યાધર કુમારો થોડા જ કાળમાં વિદ્યાના પારને પામ્યા. હવે તે બધા ગુરુ દક્ષિણા માટે પોતાનું બધું ય આપે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy