SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૬ ૧૦૫) પાંડવ ચરિત્રમ્ હે પુત્ર ! તારો પાંડવો સાથેનો વિરોધ (ઇમ્પ્રભાવ) સારાને (કુશલ) માટે નહિ થાય, પરંતુ માત્ર ભાઈઓ સાથે યુદ્ધ કરતાં તારું સારું નહિ થાય. પાંડવો પણ લાખ તીરનો નાશ કરનારા લક્ષયોધિ (એક લાખ સાથે લડનારા) છે. આથી જે કાંઈ કરે તે વિચારીને કરજે. કહ્યું છે કે :- અવિચારી કરવું નહિ. જે કરવું તે વિચારીને કરવું, નહિ તો પાછળથી બ્રાહ્મણની અને નોળિયાની જેમ પસ્તાવાનું થાય. એ પ્રમાણે ધૃતરાષ્ટ્ર કહેલું સાંભળીને મામા શકુનિ બોલ્યા : “હું પાંડવોની લક્ષ્મીને લેવાનો એક ઉપાય જાણું છું. જે ઉપાયથી કોઈના પણ શરીરમાં બાણ વાગશે નહિ અને અપકીર્તિ પણ જગતમાં નહિ થાય.” દુર્યોધને કહ્યું : “ક્યા ઉપાયથી?” શકુનિ બોલ્યા : “જુગાર ખેલવાથી. તેને હું જાણું છું. વળી તેને યુધિષ્ઠિર જાણતા નથી. તે જુગાર વડે તેની લક્ષ્મી લૂંટી લઈશું.” દુર્યોધને ધૃતરાષ્ટ્રને કહ્યું : “હે તાત ! તમે મારા મામાનું કહ્યું માનો. યુધિષ્ઠિરના રાજ્યને લેવા માટે આ સહેલો ઉપાય છે. એ પ્રમાણે કરતાં લોકોમાં લોકાપવાદ નહિ થાય.” ધૃતરાષ્ટ્ર કહ્યું: “જો આ પ્રમાણે હોય તો વિદૂરને પૂછીએ.” દુર્યોધને કહ્યું : “પુણ્યવાન વિદૂર આવી સલાહ નહિ આપે. જ્યારે સલાહ નહિ આપે તો મારું મૃત્યુ નિશ્ચિત થશે. મારું મૃત્યુ થતાં તમારું રાજ્ય જતું રહેશે. રાજ્ય જતાં તમે એકલા શું કરશો ? આથી તમે ઘુતક્રીડાને માન્ય કરો.” ત્યારે દુર્યોધને કહેલું બધુ ધૃતરાષ્ટ્ર સ્વીકારી લીધું. વળી કહ્યું : “હે વત્સ ! તું શા માટે ખેદ પામે છે ? યુધિષ્ઠિરથી તારી પાસે શું ઓછું છે ?' દુર્યોધને કહ્યું : “મારી પાસે તેવા પ્રકારની સભા નથી, જેવી યુધિષ્ઠિરની છે.” ધૃતરાષ્ટ્ર કહ્યું : હે પુત્ર ! તું શાંત થા. હું તારા માટે સૌધર્મની સભા સરીખી સભાને કરાવું છું.” એ પ્રમાણે કહીને સભા બનાવવા માટે સુથારોને આદેશ કર્યો. “હે સુથારો ! એક દિવ્ય સભાને બનાવો.” થોડા જ દિવસોમાં તેઓએ સભાને બનાવી. આ પ્રમાણે – તેઓએ એક હજાર મણિના સ્તંભવાળી અને સો દ્વારવાળી યુધિષ્ઠિરની સભા જેવી સુંદર સભા બનાવી. એવી સભા બનાવીને પછી પુત્રો સાથે ધૃતરાષ્ટ્ર હસ્તિનાપુરથી આ વડીલ પુરુષો વડે વિદૂરને બોલાવ્યો. આવેલા વિદૂરનો ભોજનાદિ વડે સત્કાર કર્યો. પછી વિદૂરે ધૃતરાષ્ટ્રને કહ્યું : હે બાંધવ ! મને શા માટે બોલાવ્યો છે ?” ધૃતરાષ્ટ્ર પુત્રની બધી વાત કરી. તે સાંભળીને વિદૂર તીવ્ર ખેદ (વિષાદ)ને પામ્યો. અહો કુલાંગાર, દુર્યોધને કુલનો ક્ષય કરનારો જુગાર રમવાનો શા માટે વિચાર કર્યો. કારણ કે ભવિતવ્યતા ક્યારેય ખોટી પડતી નથી. આ સુયોધન (દુર્યોધન) કુલરૂપ ઉદ્યાનમાં એક દાવાગ્નિરૂપ ઉભો થયો છે. કંઈ સમજાતું નથી. આ સુયોધન કલહ કરીને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy