SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચિરત્રમ્ ૧૦૪ નિઃશ્વાસ કાઢતા પુત્ર દુર્યોધનને જોઈને ધૃતરાષ્ટ્ર રાજા બોલ્યો : “હે પુત્ર દુર્યોધન ! તું ઉષ્ણ લાંબા શ્વાસને વારંવાર કેમ છોડે છે, તારો કોનાથી પરાભવ થયો છે ? અથવા કોઈએ પણ તારી આજ્ઞા ઉલ્લંઘી છે ? અથવા તારા વિશે કોઈથી પણ કંઈ વિરૂદ્ધ આચરણ કરાયું છે ? જેથી તું નિઃશ્વાસોને છોડતો દુઃખી મનવાળો દેખાય છે. આ તારા ભાઈઓ દુઃશાસન વગેરે તારી આજ્ઞાને ઉલ્લંઘતા નથી તથા આ પગમાં પડતા મુગટવાળા એવા રાજાઓ તારા સેવકો સેવા કરે છે તથા ધનદપુરને જીતનાર તારું ઇન્દ્રપ્રસ્થ નગર છે તથા અપ્સરાના રૂપને હરાવે–ઝાંખુ પાડી દે તેવું તારૂં અંતઃપુર છે. દિશાઓ રૂપી હાથીઓનું અનુકરણ કરનારા તારી પાસે હાથીઓનો સમૂહ છે. કુબેરના ભંડારનું અનુકરણ કરનાર રત સુવર્ણની રાશિથી ભરેલા તા૨ે ભંડારો છે. દેવવિમાનનું અનુકરણ કરનારા તારે મહેલો છે. સુરેન્દ્રના રૂપને હરનારૂં તારૂં રૂપ છે. એ પ્રકારનું તારી પાસે સકલ સુખના કારણભૂત ભંડારો છે. તો પછી ચિંતાનું શું કારણ છે ?. જો કંઈપણ કહેવા યોગ્ય હોય તો કહી દે.'' હે તાત ! તમે જે કંઈ કહ્યું તે સર્વ સત્ય જ છે. એ બધું મારી પાસે છે. પરંતુ તપઃપુત્ર (યુધિષ્ઠિરની) આગળ આ મારી ઋદ્ધિ શું ? નદી ત્યાં સુધી ખુશ થાય છે, જ્યાં સુધી સાગરને જોતી (જોયો) નથી. પ્રકાશને કરનારો દીપક ત્યાં સુધી છે કે જ્યાં સુધી સૂર્યનો ઉદય થયો નથી. એ પ્રકારે ઘણા દૃષ્ટાંતો આપીને દુર્યોધન આગળ બોલ્યો : ‘હે તાત ! બધા રાજાઓ યુધિષ્ઠિરની આજ્ઞાને જ ધ્યાવે છે. જેમ યોગીઓ પરમાત્માને ધ્યાવે છે, તેમ જેના આંગણમાં મંડલીબંધ શોભતા રાજાઓ યુધિષ્ઠિરના ગુણને વારંવાર ગાય છે. જેનું ગૃહાંગણ હાથીઓના મદઝરતા પાણીથી કાદવવાળું થયેલું દેખાય છે. સૂર્યના ઘોડાઓનું અનુકરણ કરનારા જેના ઘોડાઓ હણહણે છે. જેના ગૃહાંગણમાં રોહણ પર્વતોનું અનુકરણ કરનારા રતના ઢગલાઓ રહ્યા છે. એ પ્રમાણે સર્વસંપત્તિ જોઈને ઇર્ષ્યા વડે મારૂં હૃદય દ્વિધા અનુભવે છે. સર્ગ - ૬ . સાંભળીને પિતાએ કહ્યું : ‘હે વત્સ ! ખરેખર તારા ઇર્ષ્યાભાવને ધિક્કાર છે. તને તેના ઉપર ઇર્ષ્યાભાવને કરતાં કેમ શરમ નથી આવતી ? જેમણે તને રાજ્ય આપ્યું છે, જેમણે તને લક્ષ્મી આપી છે અને સર્વત્ર તને પ્રસિદ્ધ કર્યો છે, તેની સાથે તારો વિરોધ તને સુખને માટે નહિ થાય.” ત્યારે દુર્યોધન બોલ્યો : “હે પિતા ! આ પાંડવો મારા શત્રુ છે. જેઓ સભા જોવાના સમયે (હું જોતો હતો તે સમયે) મારી પર હસ્યા હતા. (મારી મશ્કરી કરી હતી) જેવી રીતે તે પાંડવો હસ્યા હતા, તે જ વાત મારા મામા તમારી આગળ જેવું બન્યું હતું, તેવું સત્ય કહેશે. હે મામા ! સર્વ સત્ય કહો.” મામાએ પણ જેવું બન્યુ હતું તેવું બધું કહ્યું ફરી પણ દુર્યોધન કહે છે, હે પિતા ! જો દ્રૌપદીની સાથે તેની રાજ્યલક્ષ્મીને ન લઉં તો હું અગ્નિમાં પ્રવેશ કરીશ. કારણ કે :- સિંહથી મૃત્યુ પામવું શ્રેષ્ઠ છે. પરંતુ હાથીથી પરાભવ પામવો સારો નહિ. એ પ્રમાણે ઇર્ષ્યાથી મલિન થયેલા ચિત્તવાળો તે દુર્યોધન ક્રોધથી બોલ્યો અને મોટાને ઉચિત એવી વાણી ફરીથી ધૃતરાષ્ટ્રે કહી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy