SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૪ પાંડવ ચરિત્રમ્ ८० રાખીને શક્રસ્તવ (નમુત્યુણ) ને બોલી, તદંતર જિનમંદિરથી નીકળીને અંતઃપુરમાં આવી. શણગાર કરવાવાળી વડે શણગારાઈ. તે આ પ્રમાણે... ફરી સ્નાનને કરાવીને, શરીર પૂંછીને સુંદર ચંદનાદિથી લેપ કરીને, સુવર્ણથી ભરેલા દિવ્યવસ્ત્ર પહેરાવવાપૂર્વક તેણીને સ્વર્ણ મણિ અને રતના આભૂષણથી ભૂષિત કરી. પાણ્ડુ રાજાએ પણ તેવી જ રીતે પોતના પુત્રોનો સુંદર મહામહોત્સવ શરૂ કર્યો... તે આ પ્રમાણે :- તે પાણ્ડ પુત્રોએ પહેલાં સ્વજનો વડે મંગલ સ્નાનપૂર્વક વસ્ત્ર, આભૂષણાદિથી અલંકૃત કરાયેલા, ઐરાવણ હાથી ઉપર બેઠેલા, છત્ર ચામરો વડે શોભતા, સકલ રાજમંડલીથી રિવરેલા નગરના લોકોથી સારી રીતે જોવાતા, દ્રૌપદીને પરણવા માટે મંગલ વાજિંત્રો સાથે દ્રુપદ રાજાના મહેલ તરફ પ્રયાણ કર્યું. ત્યારે કુન્તી, માદ્રી, ગાંધારી વગેરે સ્ત્રીઓ ધવલ મંગલ ગીતો ગાતી હતી. એ પ્રમાણે સકલ સામગ્રી સાથે પાંડવો ક્રમથી દાનને આપતા દ્રૌપદીના મંડપના દ્વાર પર આવ્યા. ત્યાં તેઓ હાથી પરથી નીચે ઉતરીને મંડપની અંદર ગયા. ત્યાં બેસીને જ્યોતિષીએ બતાવેલા સમયે પોતાના જમણા હાથ વડે દ્રૌપદીનો જમણો હાથ પકડ્યો. દ્રૌપદી પણ લજ્જાથી નીચે જોતી, લાજ કાઢી છે તેવી તેણીએ વૃદ્ધાના વચનથી પાંડવો સાથે અગ્નિને પ્રદક્ષિણા આપી. દ્રુપદ રાજા પણ પાણ્ડ પુત્રોને દ્રૌપદીના કરમોચન કર્મ (દહેજ) વખતે સ્ત્રીઓ સિવાય પોતાના ઘરની બધી ઉત્તમ વસ્તુઓ આપી. પાંડવો દ્રૌપદીને પાણિગ્રહણ (લગ્ન) પછી રથમાં બેસાડીને પોતાના મહેલ પાસે આવ્યા. બીજે દિવસે પાણ્ડુ રાજાએ કૃષ્ણ આદિ રાજાઓથી પરિવરેલા વધૂ (દ્રૌપદી) સાથે લશ્કર વાહન સહિત દ્રુપદની સાથે પોતાના નગર પ્રતિ પ્રયાણ કર્યું. દ્રુપદ રાજા પણ કેટલીક ભૂમિને અતિક્રમીને (પસાર કરીને) પાણ્ડુ રાજાએ રજા આપ્યા પછી પોતાના નગરમાં પ્રવેશ કર્યો. પાડુ રાજા પોતાના નગરમાં આવીને કૃષ્ણ વિના સંપૂર્ણ રાજાઓના સમૂહને (રાજચક્રને) હાથી, ઘોડા આદિથી સત્કાર કરીને વિદાય કર્યા. તે પાંડવો ક્રીડા પર્વત આદિમાં બાગ-બગીચા આદિમાં અને વાવડી, સરોવર આદિમાં દ્રૌપદીની સાથે ક્રીડાને કરતાં પ્રહરની જેમ વર્ષો ચાલી ગયા. એ પ્રમાણે સુખને અનુભવતાં તેઓનો સમય પસાર થાય છે. એક દિવસ જ્યાં દેહની કાન્તિથી દિશાઓ પ્રકાશમાન થઈ છે. જેની આંખમાંથી અમૃતની વર્ષા થઈ રહી છે. એવા નારદ નામના દેવમુનિ આકાશમાં જતાં પાંડવના ગૃહે ઉતર્યા. તે અવસરે કોઈપણ કારણથી કૃષ્ણ પણ ત્યાં આવ્યા. પછી કૃષ્ણ દ્રૌપદી અને પાંડવને જોઈને મનમાં કંઈક વિચારીને નારદને કહ્યું : “હે નારદ ! આ દ્રૌપદી અને પાંડવોની કોઇ પ્રકારની વ્યવસ્થા થાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy