SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૬૮ સર્ગ - ૪ તે અવસરે કાંડિલ્ય નગરનો કાશ્યપીનાથ નામનો સારથિ કામ્બોજ નગરના ઘોડાથી જોડાયેલા રથને દ્રુપદ રાજાની પાસે લઈ ગયો. તે રથમાં દ્રુપદે આપેલા હાથનું આલંબન લઈને એટલે કે દ્રુપદે લંબાવેલા હાથને પકડીને પાડુ રાજા તે રથમાં ચડી ગયો અને તે પોતે કુરૂદેશના સ્વામી એવા પાડુ રાજાનો દ્રુપદ રાજા સારથિ બન્યો. પછી રથમાં બેઠેલા બંને પોતપોતાના સૈન્યથી પરિવરેલા માથા પર છત્ર ધરેલા, ચામરોથી વીંઝાતા અને બોલતા એવા ચારણો, સ્તુતિ કરતા ભટ્ટ, હાથથી દાન અપાવતા નગરીના પરિસરમાં રહેલા ઉદ્યાનમાં આવ્યા. ત્યાં કાંપિલ્યપુરના પરિસરમાં પાડુ રાજાએ ગંગા નદીને જોઈ. તે ગંગામાં ક્રીડા કરીને આ ઉદ્યાનોમાં દ્રુપદના કહેવાથી રાજા પાડુએ આવાસોને ગ્રહણ કર્યા. પછી દ્રુપદ રાજાએ પાડુ રાજાની રજા લઈને કાંપિલ્યપુરમાં પ્રવેશ કર્યો. (નગરના અંદરના ભાગમાં જઈને પાર્ટુના સૈનિકોનો એવી રીતે સત્કાર કર્યો કે તે સૈનિકો પોતાના નગરના પણ સુખને યાદ કરતા નથી.) દ્રુપદ રાજાએ શુભમુહૂર્ત બ્રહ્મા વિધાતા) જેવા શિલ્પીઓથી દેવસભા સરીખો સ્વયંવર મંડપ કરાવડાવ્યો. જે મંડપ નીચે નીલમણિ જેવી પૃથ્વી (શોભતી) હતી. તે મંડપમાં હજારો સોનાના સ્તંભો શોભતા હતા, તે સોનાના સ્તંભોમાં શિલ્પીઓએ બનાવેલ પૂતળીઓને લોકો દેવાંગનાની જેમ જતાં હતા. જે મંડપમાં સ્થાને સ્થાને લટકતા મોતીઓના ઝુમખાઓમાં પુષ્પગુચ્છ હોય એમ માનીને ભમરાઓનો સમૂહ ત્યાં આવતો હતો. જે મણિમય થાંભલાવાળા સ્વયંવર મંડપમાં નિર્માણના પુણ્યકાર્યને જોતાં બ્રહ્મા (વિધાતા) પણ આશ્ચર્યથી (દિમૂઢ) જડ જેવો થઈ ગયો. તે મંડપમાં દ્રુપદે બધી દિશાઓમાં ઊંચા માંચડાઓ બનાવરાવ્યા હતા.' જાતજાતના મણિવાળા તોરણોથી અલંકૃત શોભતા) દેવવિમાન જેવા તે સ્વયંવર મંડપને જોઈને લોકો પૂર્ણ પાણીથી ભરેલા સાગરને નાનો માનવા લાગ્યા. તેવી રીતે સ્વયંવર મંડપના મધ્યમાં નિશ્ચલ એક સુવર્ણનો મેરૂપર્વત સમાન સ્તંભ રોપ્યો-કરાવ્યો. તે સુવર્ણસ્તંભના મધ્યપ્રદેશમાં ચાર ચક્રો ડાબી બાજુ ભમતાં, તેવી જ રીતે ચાર ચક્રો જમણી બાજુ ભમતાં શોભે છે. તે સુવર્ણના સ્તંભની ઉપર એક નીચી મુખવાળી રનની પૂતળી જાણે સ્વયંવર મંડપની શોભાને જોવા માટે નિશ્ચલ થઈને રહી છે, તેવી રીતે સ્તંભના નીચેના ભાગ પર રાજાએ દેવતાથી અધિષ્ઠિત ક્રમથી આવેલું વજનું બનાવેલું વજાવર્ત નામનું ધનુષ્ય મૂક્યું. પછી જ્યોતિષીએ આપેલા શુભ દિવસે શુભ લગ્ને દ્રુપદ રાજાએ અર્જુનને સવારે આવવા માટે સાંજે દૂતને મોકલ્યો. તે સમયે સૂર્ય દ્રૌપદીને અલંકૃત કરવા માટે જાણે સમુદ્રમાંથી સારભૂત રતોને લેવા માટે સમુદ્રમાં પ્રવેશ કર્યો. ત્યારે દ્રૌપદીના અંગના સંગમના આનંદને ઇચ્છતા રાજાઓના રાજકુમારોની તે રાત્રિ જાણે સો પ્રહર જેટલી લાંબી થઈ. પરંતુ પાડુ રાજા તો પોતાના કુમારોના કલાકૌશલ્યને અંતરમાં ચિંતવીને, ચિંતાના સંતાપને દૂર કરીને નિર્ભય બની સુખપૂર્વક સૂઈ ગયા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy