________________
રાજાનું સૈન્ય ખાવા જાય, અગર તો સૈનિકો એનો વિનાશ કરવા જાય ત્યારે તપ-નિયમમાં સારી રીતે ઉપયોગવંત એવો પણ સાધુ જો ન છોડાવે, એ માટે પુરુષાર્થ ન કરે તો તેની (મહાવ્રતોની)
શુદ્ધિ ન થાય; (પરમાત્માની) આશાતના પણ થાય.
‘સંબોધ પ્રકરણ’ જેવા ગ્રંથરત્નમાં તો ઉપેક્ષા કરનાર સાધુ ‘અનંત સંસારી' થાય એમ કહેલ છે. અનેક ગ્રંથોમાં એ ગાથા આ પ્રમાણે બતાવેલ છે :
चेइयदव्वविणासे तद्दव्वविणासणे दुवियभेए ।
साहू उविक्खमाणो अनंतसंसारिओ भणिओ ।।
ભાવાર્થ : ‘ચૈત્ય દ્રવ્યના વિનાશ પ્રસંગે, એ બે પ્રકારના ચૈત્ય દ્રવ્યના વિનાશમાં જો સાધુ ઉપેક્ષા કરે તો તે અનંત સંસારી કહેલો છે.’
પ્રશ્ન-૩૬ - તીર્થોમાં જિનબિંબો ઘણાં હોય છે. ઘણાં સ્થાને એના કારણે પ્રક્ષાલપૂજા થતી નથી. પૂજારી આવીને ભીનું પોતું કરીને સાફ કરી જાય છે. આશાતના ટાળવા માટે પ્રતિમાજી ઓછાં ન કરી શકાય ?
ઉત્તર-૩૬ - ‘સ્તવપરિજ્ઞા' વગેરે પ્રાચીન અનેક ગ્રંથોમાં જણાવ્યું છે કે, જિનપ્રતિમાની પ્રક્ષાલપૂજા રોજ થવી જ જોઈએ. પ્રાચીન તીર્થોમાં ઘણાં જિનબિંબો હોય એ બનવાજોગ છે. આવું હોય ત્યારે ટ્રસ્ટી અને વહીવટદારોએ રોજ પ્રક્ષાલાદિ પૂજા બરાબર થાય એવો પ્રબંધ ગોઠવવો જ જોઈએ. એવી વ્યવસ્થા જો શક્ય ન રહે તો પછી પ્રતિમા રાખવાનો મોહ ઓછો કરીને જરૂરિયાતવાળાં સ્થાનોમાં બહુમાન જળવાય તે રીતે પ્રાચીન પ્રતિમાજી આપવાં જોઈએ. જેટલાં પણ જિનબિંબો રખાય તેની રોજ પ્રક્ષાલાદિ પૂજા તો થવી જ જોઈએ.
પ્રશ્ન-૩૭ - શ્રાવક માટે પ્રભુની આજ્ઞાઓ કઈ કઈ છે ? એ ક્યાંથી જાણવી ? ઉત્તર-૩૭ - યોગશાસ્ત્ર, શ્રાદ્ધદિન નૃત્ય, શ્રાદ્ધવિધિ અને ધર્મસંગ્રહ ભાગ-૧ જેવા ગ્રંથો ગુરુ ભગવંત પાસે બેસીને બરાબર વાંચવા-સમજવાથી શ્રાવક માટે પ્રભુની કઈ કઈ આજ્ઞાઓ છે એનું જ્ઞાન સારી રીતે થઈ શકે છે.
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? 93