________________
વધુમાં ધર્મક્ષેત્રના વહીવટની જવાબદારી માથે હોય તેવા પુણ્યાત્મા શ્રાવકે દ્રવ્યસપ્તતિકા ગ્રંથ પણ ઉપરોક્ત વિધિથી ભણવો જોઈએ. પ્રશ્ન-૩૮ - જિનેશ્વર પરમાત્માની મૂર્તિ ઘરદેરાસરમાં છે, પણ એમની સાથે જ હનુમાનજી અને લક્ષ્મીદેવી વગેરે અન્ય ધર્મીઓની મુદ્રાવાળી મૂર્તિઓ પણ પધરાવેલી છે તો તેવાં ઘરદેરાસરે દર્શનાર્થે જવાય ? ઉત્તર-૩૮ – ઘર દેરાસર કે સંઘ દેરાસરમાં માત્ર શ્રી જિનેશ્વર પરમાત્મા, સદ્ગુરુ-નિગ્રંથો અને મૂળનાયક પરમાત્માના શાસનની સુરક્ષાની જવાબદારી જેમના ઉપર સમવસરણમાં ખુદ પરમાત્માએ મૂકેલી છે તે જ શાસનદેવ-યક્ષ યક્ષિણીની શિલ્પવિધિ મુજબની પ્રતિમા જ પધરાવી શકાય અને એ જ રીતે પધરાવેલ હોય તે સ્થળે જ સંઘથી દર્શન-પૂજનાર્થે જઈ શકાય. અન્ય ધર્મીઓના અન્ય ધર્મના દેવ-દેવી ગુરુઓની મૂર્તિઓ જ્યાં પધરાવાય છે, તે સ્થાનમાં જવાથી મિથ્યાત્વ લાગે છે. ત્યાં જવાથી શ્રી જિનરાજ અને જૈનધર્મની લઘુતા કરવાનું પાપ પણ લાગે છે.
‘દાદા ભગવાનના નામે પ્રચાર પામેલ ગૃહસ્થના મતનાં મંદિરોમાં મૂળ ગભારામાં શ્રી સીમંધરસ્વામીજીની અને બાજુના ગર્ભગૃહોમાં શ્રીકૃષ્ણની અને શ્રી શંકર મહાદેવની પ્રતિમા પધરાવેલી જોવા મળે છે. એવા સ્થાનમાં જવું એ પણ મિથ્યાત્વની જ કરણી છે. ત્યાં જઈને શ્રી સીમંધર પ્રભુને ય જોનારો પૂજનારો મિથ્યાત્વને આમંત્રણ આપી પોતાના આત્મઘરમાં પધરાવે છે. પ્રશ્ન-૩૯ - શરીરની અસહ્ય ગરમીના કારણે ઘર દેરાસર કે સંઘ દેરાસરમાં ગભારામાં કે બહાર એ.સી. (એરકંડીશનર) મશીન મૂકી શકાય ? શાંતિથી ત્રણ-ચાર કલાક જિનભક્તિ થઈ શકે ને ? ઉત્તર-૩૯ - ઘર દેરાસર હોય કે સંઘ દેરાસર, એમાં ક્યાંય એ.સી. તો શું પંખો પણ લગાડી શકાય નહિ. જિનભક્તિ શાંતિથી થાય - એ બહાના હેઠળ તો આ અને આવી બીજી કેટલીયે વાતો રજૂ થશે માટે વિવેકી પ્રભુભક્તોએ આવા અવળા માર્ગે ન ચાલવું એ જ હિતકર છે. પ્રશ્ન-૪૦ - ચાંદીની ચોવીશીના ભગવાન છૂટા પડી ગયા છે. પૂજામાં વપરાય કે પછી વિસર્જન કરવું ? ૭૪ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો?