________________
ભાવાર્થ : બીજડ વગેરે સઘળા સુશ્રાવકો દ્વારા શ્રી ઈન્દ્રપદ વગેરે મેળવવા માટે પ્રોત્સર્પણ કરાઈ. પ્રોત્સર્પણા એટલે ઉછામણી. v + સત્સT = પ્રોત્સ શબ્દ બને છે. વિશિષ્ટ - પ્રકૃષ્ટ રીતે ધનનો ત્યાગ કરીને ઊંચે ચડાવવાની ક્રિયા કરીને લાભ મેળવવાની રીત એટલે જ પ્રોત્સર્પણા. જે આજે બોલી-ઉછામણી વગેરે નામે પ્રસિદ્ધ છે.
આ અને આવા બીજા અનેક ઉલ્લેખોને જોયા બાદ ઈન્દ્રમાળાદિને પહેરવા આદિ લાભો મેળવવા થતી ઉછામણી બોલીઓની પ્રથાને યતિઓના સમયમાં શરૂ થયેલી’ એમ કહેવું-પ્રચારવું એ તદ્દન વાહીયાત અને સત્યથી વેગળું છે - એવું લાગ્યા વગર રહે નહિ. એ જ રીતે શ્રી જિનેશ્વર દેવને ઉદ્દેશીને થતી આ માળાઓ આદિનું દ્રવ્ય દેવદ્રવ્ય ખાતે જ જમા થવું જોઈએ એ આવા ઉલ્લેખો દ્વારા પણ પુરવાર થાય છે. પ્રશ્ન-૩૫ - દેવદ્રવ્યનો વિનાશ થતો હોય તો સાધુએ પણ એને રોકવો જોઈએ. ન રોકે તો તેના મહાવ્રતોની શુદ્ધિ રહેતી નથી. એવું ધર્મસંગ્રહમાં વાંચવામાં આવ્યું છે. તો એ વાતને જણાવતો પાઠ કોઈ આગમમાં મળે છે ખરો ? ઉત્તર-૩૫ - ‘પંચકલ્પ' નામના છેદગ્રંથમાં એ જ વાત આ મુજબના શબ્દોમાં જણાવી છે.
xx जया पुण पुव्वपवन्नाणि खेत्त - हिरण्णाणि दुपय-चउप्पयाई जइ भंडं वा चेइयाणं लिंगत्था वा चेइयदव्वं राउलबलेण खायंति, रायभडाइ वा अच्छिंदेज्जा, तथा तवनियम-संपउत्तो वि साहू जइ न मोएइ, वावारं न करेइ तया तस्स सुद्धी न हवइ,
आसायणा य भवइ । ભાવાર્થ : જિનમંદિરને પૂર્વે મળેલાં ખેતરો, સુવર્ણો, દાસ-દાસી,
ઢોર વગેરે, વાસણો (ઉપકરણો) અગર તો ચૈત્ય (દેવ) દ્રવ્યને ૭૨ ઘર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?