________________
સૈકો) ઉછામણીની પ્રથા ખૂબ દૃઢમૂલ અને સાર્વત્રિક બની હતી. એ માળનું દ્રવ્ય તે તે તીર્થના દેવદ્રવ્ય ખાતે જમા થયેલ છે.
‘યુગપ્રધાન ગુર્વાવલી’માં ચૌદમા સૈકાના છ-રી પાલક સંઘોના તીર્થયાત્રા પ્રસંગે ઉછામણીઓના અને તેનું દ્રવ્ય દેવદ્રવ્ય ખાતે જમા થયાના અનેક ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. અત્રે એમાંના બે-ચાર ઉલ્લેખો આપીએ છીએ.
૭ વિ.સં. ૧૩૨૯માં પાલનપુરથી સંઘ નીકળ્યો. એ સંઘ તારંગા આવ્યો. ત્યાં ઈન્દ્રમાળા વગેરેની આવક ૩૦૦૦ દ્રમ્ન થઈ હતી. આગળ ખંભાત આવતાં ફરી ઈન્દ્રમાળા વગેરે થતાં આવક ૫૦૦૦ દ્રમ્પ થઈ હતી. શત્રુંજય તીર્થે ૧૭૦૦૦ દ્રમ્પની આવક થઈ હતી. ગિરનાર ઉપર ૭૦૯૭ દ્રમ્પની આવક થઈ હતી. આ આવક અક્ષયપદે એટલે કે ગુપ્ત ભંડાર ખાતે થઈ હતી. ગુપ્ત ભંડાર (નીવિ) દેવદ્રવ્યનો થતો હતો.
અલગ અલગ ઉછામણીઓ દ્વારા જે આવક દેવદ્રવ્ય ખાતે થઈ હતી, તેની સંક્ષિપ્ત નોંધ આપતાં એ ગ્રંથમાં જણાવ્યું છે કે, ‘શત્રુજ્ઞયે देवभाण्डागारे उद्देशतः सहस्र २० उज्जयन्ते सहस्र १७ संजाता. '
ભાવાર્થ : ‘શત્રુંજયમાં દેવના ભંડારમાં વિવિધ લાભોના ચડાવાથી ૨૦ હજાર દ્રમ્પ અને ગિરનારમાં ૧૭ હજાર દ્રમ્મની આવક થઈ હતી.’
વિ.સં. ૧૩૮૦માં દિલ્લીથી આવેલા સંઘની શત્રુંજય ઉપર માળા થતાં એમાં પ્રતિષ્ઠા માળા, ઈન્દ્રપદ મેળવવું, કળશ સ્થાપના કરવો, ધ્વજા ચડાવવી વગેરે સમસ્ત લાભો અંગેની ઉછામણી થતાં કુલ ૫૦ હજાર દ્રમ્મની આવક થઈ હતી અને તે પણ શ્રીયુાહિ-વેવમાન્ડરે = શ્રી આદિનાથ દાદાના ભંડારમાં એટલે કે દેવદ્રવ્યમાં જમા થઈ હતી.
આ રીતે વિ.સં. ૧૩૮૧માં પણ ભીલડીથી શત્રુંજય આવેલા સંઘની માળા આદિની ઉછામણીના, ૧૫ હજાર દ્રમ્ન થયાં હતાં તે પણ શ્રીયુ,વિવેવમાઙારે એટલે દાદાના ભંડારમાં જમા થયા હતા.
૦ વિ.સં. ૧૩૬૬ના ઉલ્લેખ મુજબ વીખડપ્રમુઘસ સુશ્રાવશે: श्रीइन्द्रपदादिप्रोत्सर्पणा विहिता ।
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?
૭૧