SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર-૨૭ - સ્નાત્રમાં ત્રિગડા નીચે રોજ નવું જ શ્રીફળ મૂકવાનું હોય છે. જૂનું ચાલે નહિ, કારણ કે એક વાર ચડાવ્યા બાદ તે પ્રભુ-નિર્માલ્ય ગણાય. તે વેચીને તેની રકમ દેવદ્રવ્ય ખાતે જમા કરી દેવી જોઈએ. ચાંદીનું શ્રીફળ બનાવી ભગવાનના હાથમાં મૂકી શકાય, પરંતુ સ્નાત્રમાં ત્રિગડા નીચે રોજ નવું શ્રીફળ ચડાવવાના બદલીમાં એ ન ચડાવી શકાય. કોઈ દેશવિશેષમાં કે સંયોગ વિશેષમાં તાજાં શ્રીફળ મળતાં જ ન હોય ત્યાં તેટલા પૂરતું કોઈએ ચાંદીનું શ્રીફળ મૂક્યું. હોય, તેનો દાખલો લઈ બધે આ પ્રમાણે ન કરી શકાય. માટે હંમેશાં નવું શ્રીફળ મેળવી ચડાવવાનું ધ્યાન રાખવું. સંયોગ વિશેષમાં ચાંદીનું શ્રીફળ મૂકવું પડયું હોય તો સુયોગ્ય નકરો દેવદ્રવ્યમાં ભરવો જોઈએ. પ્રશ્ન-૨૭ - ચૈત્યવંદન બાદ સાથિયાના અક્ષત, ફળ, નૈવેદ્યનો ઉપયોગ કોણ કરી શકે ? ઉત્તર-૨૭ – પ્રભુ પૂજામાં આવેલ અક્ષત, ફળ, નૈવેદ્ય એ નિર્માલ્ય દેવદ્રવ્ય જ છે. એનું વેચાણ કરીને એમાંથી આવેલ રકમનો ઉપયોગ શાસ્ત્રીય રીતે જિનમંદિરના જિર્ણોદ્ધાર કે નૂતન જિનમંદિરના નવનિર્માણમાં જ કરવો યોગ્ય છે. શ્રાવકોએ ઉચિત કાળજી રાખીએ બધું જ નિર્માલ્ય પૂજા દ્રવ્ય યોગ્ય રીતે વેચીને એનું સુયોગ્ય મૂલ્ય ઉપજાવવું જોઈએ. પ્રભુને ચડાવેલ આ દ્રવ્યો પૂજારી કે જિનાલયાદિ અન્ય કોઈ પણ માણસને પગાર પેટે કે એમને એમ પણ ન આપી શકાય. એમ કરવામાં દેવદ્રવ્યના વિનાશનું પાપ લાગે છે. જો આ રીતે માણસોને આ દ્રવ્ય આપી દેવામાં આવતું હોય અને સંઘના કે સંઘ સદસ્યોના કોઈપણ કાર્ય એ માણસો દ્વારા થાય તેવા કામ કરાવનારને દેવદ્રવ્યના ઉપભોગનો દોષ પણ લાગે. દેવદ્રવ્ય નાશ અને દેવદ્રવ્યના ઉપભોગનાં જે કારમાં દુષ્પરિણામો અને ભવભ્રમણાદિ દોષો શાસ્ત્રોમાં બતાવ્યા છે, તે વાંચ્યા બાદ નિર્માલ્ય દેવદ્રવ્યના વહીવટમાં ઉપેક્ષા કરવી કોઈ પણ શ્રમણોપાસકને પાલવે તેમ નથી. પ્રશ્ન-૨૮ - દેરાસરમાં ચડાવેલ ફળ-નૈવેદ્ય (નારિયેળ, સોપારી, બદામ, સાકર વગેરે પણ) જો દુકાનદારને વેચી દેવામાં આવે, તો દુકાનવાળાને વધારેમાં વધારે ફાયદો થાય છે અને દેરાસરને વધારેમાં વધારે નુકસાન ! તો આના કરતાં બીજો કોઈ શાસ્ત્રીય અભિગમ અપનાવી શકાય ? ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૭
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy