SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ - ધર્મશાસ્ત્રોની જાણકારીના અભાવે, ર - ધર્મગુરુઓની પાસેથી માર્ગદર્શન ન મેળવવાના કારણે, ૩ - દુનિયાના વ્યવહારનો પણ પૂર્ણ અનુભવ ન હોવાના કારણે ૪ -- કેટલીક વખત દેખાદેખીથી અને ૫ - ઉપેક્ષાના કારણે પણ સંઘના પૈસાની આડેધડ બરબાદી કરતા હોય છે. લાખો રૂપિયાનો વ્યય કરવા છતાં જે શાસન પ્રભાવના સધાવી જોઈએ, તે થતી નથી. તેની સામે કેટલાક પીઢ શ્રાવકો એવા પણ જોયા કે, જે રૂપિયાનું કામ બાર આનામાં અને છતાં સવાયું કરી બતાવે છે. એમની ચકોર અનુભવ દૃષ્ટિનો વ્યાપ એવો તો વિશાળ અને સૂક્ષ્મ હોય છે કે ઘણી બધી ગરબડો નજર માત્રથી જ પકડી પાડે. શિલ્પીઓ અને સોમપુરા પણ એમની આગળ ચાલ રમી શકે નહિ. જિનાજ્ઞા અને જયણા પળાતી હોય તો લાખો કે કરોડોનો ખર્ચો પણ જ્ઞાનીની દૃષ્ટિમાં વેડફાટ નથી અને જિનાજ્ઞા–જયણા ન પળાય તો દુનિયાને યોગ્ય લાગતો ખર્ચો પણ જ્ઞાનીની દૃષ્ટિમાં વૈડફાટ છે. અયોગ્ય દેખાવ કરવો યોગ્ય નથી પણ યોગ્ય દેખાવ તો જરૂર કરવા યોગ્ય છે. કારણ કે, “આડંબર, યોગ્ય દેખાવ-પૂર્વક ધર્મકાર્યો કરવાં” એવું જ્ઞાનીનું વચન છે. અહીં આડંબર શબ્દ આજે જે વેડફાટ અર્થમાં વપરાય છે, તે નથી લેવાનો પણ દબદબાપૂર્વક ધર્મનું બહુમાન વધે એવા કાર્યના અર્થમાં લેવાનો છે. અન્ય કોમ જૈન સંઘની ઉદારતા ઉપર નભે, એમાં તો જૈનોની શોભા છે. જૈન સમાજ-સંઘ મહાજનના નાતે હંમેશા મોટા ભાઈના સ્થાને રહેતો આવ્યો છે. આવા પ્રસંગોમાં જોઈતી ઉદારતા રાખવાથી અન્ય કોમો સંતુષ્ટ રહે, જે એકંદરે સારું જ છે. માટે જ આવા પ્રસંગે અનુકંપાદાનાદિનું પણ વિધાન છે, જેને શાસ્ત્રકારોએ ધર્મપ્રભાવક દાન ગણાવ્યું છે. પ્રશ્ન-૨૬ - સ્નાત્રમાં ત્રિગડા નીચે શ્રીફળ મૂકાય છે તે રોજ નવું નવું મૂકવું જોઈએ કે એકનું એક ચાલે. તેના પૈસા ભંડારમાં નાખી દઈએ તો ચાલી શકે? અથવા ચાંદીનું શ્રીફળ કાયમ માટે મૂકી શકાય ? ચાંદીનું શ્રીફળ કાયમ મૂકવા માટે નકરો ભરવો જરૂરી છે ? ૬૬ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy