________________
જીર્ણોદ્ધાર નૂતન નિર્માણાદિ કાર્યોમાં અથથી ઇતિ પર્યત જાત દેખરેખ કરી પોતાના કિંમતી સમયનો ભોગ આપી દેવદ્રવ્યનો સુયોગ્ય વપરાશ થાય અને વેડફાટ જરાપણ ન થાય એ માટે પૂરતી કાળજી લેવી જોઈએ.
બાંધકામ-શિલ્પ-ઘનફૂટ આદિ ગણિત અને વ્યવહારની અણઆવડતથી ઘણા સંઘો, વ્યક્તિઓના હાથે લાખો-કરોડોનું દેવદ્રવ્ય વેડફાઈ જાય છે. શિલ્પીઓ, સોમપુરાઓ અને પાષાણ ઉદ્યોગના ખેરખાંઓ આ ક્ષેત્રના અજ્ઞાન લોકોના અજ્ઞાનનો પૂરો લાભ ઉઠાવતા હોય છે, માટે આ કામમાં ઘણી જ કાળજી રાખી વ્યવહાર કરવો હિતાવહ છે. ' પ્રશ્ન-૨૧ - ગુરુપૂજનની આવકનો અધિકાર કોનો ? સાધુનો કે સંઘનો ? ઉત્તર-૨૧ - ગુરુ ભગવંતો કંચનના ત્યાગી હોવાથી પૂજનની આવક કે અન્ય કોઈપણ દ્રવ્યની આવકના તેઓ અધિકારી નથી જ, ગુરુપૂજનનું દ્રવ્ય શાસ્ત્રીય મર્યાદા પ્રમાણે દેવદ્રવ્યમાં એટલે કે જિનમંદિર જીર્ણોદ્ધાર આદિ ખાતે જતું હોવાથી એ ખાતાનો જ એના પર અધિકાર છે. એ ખાતાનો વહીવટ સંઘ કરતો હોવાથી સંઘ હસ્તક જ એ દ્રવ્ય રખાય, સાધુ ભગવંતના કોઈપણ કાર્યમાં એ દ્રવ્યનો ઉપયોગ ન થઈ શકે. પ્રશ્ન-૨૨ - પર્યુષણ વખતે અમારા સંઘમાં સર્વ સાધારણની ટીપ કરાય છે. તેમાંથી દેરાસરનો કેસર-સુખડ આદિનો તેમજ ગોઠી પગાર વગેરેનો ખર્ચ કરાય છે, આમ છતાં જો ખૂટે તો દેવદ્રવ્યમાંથી વપરાય છે તે યોગ્ય છે ? ઉત્તર-૨૨ – દેવદ્રવ્યમાંથી કેસર-સુખડ કે ગોઠી પગાર વગેરેનો ખર્ચો ન કરવો જોઈએ. કારણ કે, એ બધાં શ્રાવકોએ કરવાનાં કર્તવ્યો છે. પોતાનાં કર્તવ્યો કરવા માટે નજર દેવદ્રવ્ય તરફ કરવી એ મહાપાપનો ધંધો છે, માટે થોડો વધારે ઘસારો વેઠીને પણ આ બધો લાભ શક્તિ-સંપન્ન શ્રાવકોએ જાતે જ લેવો જોઈએ અને આજ સુધી અજ્ઞાનતાથી થયેલ પાપનું ગીતાર્થ ગુરુ ભગવંતો પાસે પ્રાયશ્ચિત્ત લઈ સંઘે અને સંઘના સભ્યોએ શુદ્ધિ કરવી એ આત્મહિતકર માર્ગ છે. પ્રશ્ન-૨૩ - અમારે ત્યાં સંઘના કામકાજના હિસાબો રજૂ થતા નથી, સરકારી જરૂરીયાત મુજબ નામાનું ઓડિટ કરાવી કાગળો ફાઈલ કરાવાયા ૬૪ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?