SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર-૧૮ - જીવદયાની રકમનો સદુપયોગ થતો ન હોય તો પ્રેરણા કરી, ઉપદેશ આપી, પ્રયત્ન કરી, ભોગ આપી એનો સદુપયોગ થાય તેમ કરવું. અનુકંપામાં રકમની ઘણી જરૂર હોય છતાં પણ એમાં જીવદયાની ટીપ મુલત્વી રાખીને અનુકંપાની ટીપ ન કરાય. જિનમંદિરમાં મહાપૂજનોપ્રતિષ્ઠાદિ અવસરે મહાપુરુષોએ જીવદયાની ટીપ કરવાની છૂટ આપી છે, અનુકંપાની નહિ. એ વાત અત્રે ધ્યાનમાં લેવી. પ્રશ્ન-૧૯ - પ્રતિષ્ઠા વગેરે પ્રસંગોએ ઝાંપા ચુંદડી કે ફલે ચૂંદડીની ઉછામણી બોલાય છે, એ ખાતામાં વધારો હોય તો એમાંથી દુષ્કાળ રાહત કે ભૂકંપ-રાહત તરીકે માણસો પાસેથી કામ કરાવી એના મહેનતાણાં રૂપે ખર્ચ કરી શકાય કે નહિ ? ઉત્તર-૧૯ - આ રકમ સાતક્ષેત્ર ઉપરાંત અનુકંપા-જીવદયા-માનવરાહત દુષ્કાળરાહત-ભૂકંપનાહત વગેરે કોઈપણ માનવીય કે પશુ સંબંધી કાર્યમાં વાપરી શકાય છે. પરંતુ એનો મતલબ એ નથી કે મનુષ્યો વગેરે પાસેથી કામ કરાવીને એના મહેનતાણાં કે બદલારૂપે એનો ઉપયોગ થાય. કોઈપણ પ્રકારનું કામ કરાવ્યા વિના, કેવળ એમના ઉપર આવેલ આફતને પૂર્ણરૂપે કે આંશિક રૂપે દૂર કરવા માટે નિઃસ્વાર્થ ભાવથી જ આ કાર્ય થવું જોઈએ. પ્રશ્ન-૨૦ - દેવદ્રવ્યના પૈસા જિનમંદિરનો જીર્ણોદ્ધારમાં જ વાપરી શકાય કે નૂતન જિનાલયમાં પણ વાપરી શકાય ? આજે નૂતન જિનમંદિરો ઘણી જ જગ્યાએ બની રહ્યા છે. કારણ કે, તેમાં રસ વધુ છે. નામના મળે છે. જૂના મંદિરો-તીર્થો વધુ જીર્ણ થતાં જાય છે. આ અંગે યોગ્ય માર્ગદર્શન આવકાર્ય બની રહેશે. ઉત્તર-૨૦ - જૈનશાસનની મૂળભૂત વિધિ પ્રમાણે દેવદ્રવ્યનો તો નિધિભંડાર જ કરવાનો હોય છે. શ્રાવકના ‘દેવદ્રવ્યવૃદ્ધિ કર્તવ્યના અમલરૂપે એમાં રોજ રોજ કાંઈ ને કાંઈ પધરાવીને દેવદ્રવ્યને વર્ધમાન જ કરવાનું હોય છે, ઉપરાંત એ નિધિના રોજ દર્શન કરવાનાં વિધાનો પણ મળે છે. એ વખતે સુશ્રાવકો ભાવના ભાવે કે, આજે તો અમે અમારા સ્વદ્રવ્યનો ઉપયોગ ઉર ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy