________________
વ્યવસ્થાનો સ્વીકાર કરનાર પુણ્યાત્મા પોતે તેટલા દ્રવ્યનો માલિક બની જાય છે. કારણ કે, આપનારે સહર્ષ-ઈચ્છાપૂર્વક વસ્તુ આપી છે અને લેનારે તેની ભાવનાનો આદર કરવાપૂર્વક ગ્રહણ કરી છે. તેથી પરદ્રવ્ય સંબંધી પ્રશ્ન રહેતો નથી. આપનારની ઈચ્છા ન હોય અને લેનાર પડાવી પાડતો હોય, અથવા પોતાનું દ્રવ્ય બચાવવાના ભાવથી સામાનું દ્રવ્ય વાપરતો હોય ત્યાં જ પરદ્રવ્ય સંબંધી દોષ લાગે છે. જ્યાં ખબર ન હોય, અથવા પોતાનું દ્રવ્ય બચાવવાના ભાવથી સામાનું દ્રવ્ય વાપરતો હોય ત્યાં તિલક કરવા પૂરતું દ્રવ્ય દેવદ્રવ્ય ખાતે જમા કરાવી દેવું જોઈએ. પ્રશ્ન-૯- ફુટ વગેરે દેરાસરમાં મૂકવા માટે જ લીધેલું હોય, તો એ ઘરમાં વાપરવામાં આવે તો દોષ લાગે ? ઉત્તર-૯ - ફુટ ખરીદતી વખતે આ ફુટ દેરાસરમાં જ ચડાવીશ, એવી નિશ્ચિત કરેલી બુદ્ધિ હોય, તો તે ઘરમાં વાપરવાથી દોષ લાગે. પરંતુ સામાન્યથી ઘર માટે અને દેરાસર માટે બેય માટે વાપરવા ભેગા જ ખરીદ્યા હોય, તો તેમાં દોષ લાગતો નથી. પ્રશ્ન-૧૦ – સાધારણ ટ્રસ્ટની મિલકત - કોઈ પણ જાતની વેચાણ કરવાની જરૂરિયાત ન હોવા છતાં – જૈન સમાજમાં થોડું ઉચ્ચ સ્થાન ધરાવતી વ્યક્તિની ખુશામત ખાતર તે મિલકત તેની પ્રવર્તમાન બજાર કિંમતથી ૮૦૦ જેટલી કિંમતે પ્રદાન કરવામાં આવે, તો તે કેટલા અંશે યોગ્ય ગણાય ? શું આ વેચાણ સંઘહિત વિરુદ્ધ ગણાય ? શું ટ્રસ્ટીઓએ માત્ર પોતાના વ્યક્તિગત સંબંધને જ નજરમાં રાખી સંઘહિતને નજરઅંદાજ કરી વેચાણના કરેલા ઠરાવને માત્ર સંઘમાં જ પડકારી શકાય ? ઉત્તર-૧૦ - સાધારણ ટ્રસ્ટની મિલકત - કોઈ પણ જાતના વેચાણની જરૂરિયાત ન હોવા છતાં બજારભાવથી ઓછી કિંમતે વેચી દેવામાં આવે તો ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ધર્માદા-દ્રવ્યનો વેડફાટ-નુકસાન કર્યાનું પાપ જરૂર લાગે છે. પછી એમાં કોઈ પણ શ્રીમંત કે સત્તાધીશ વગેરેની ખુશામત કરવા જેવા ક્ષુદ્ર તત્ત્વો ભળી જતાં હોય, તો એ પાપ વધારે ચીકણું બંધાય. આવા વેચાણ સંઘહિત વિરુદ્ધ ગણી શકાય અને વ્યક્તિગત સ્વાર્થને આગળ કરીને કરેલા
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૭