SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન-૭- જે દેરાસરના દેવદ્રવ્યના વહીવટ અંગે આપણને શંકા હોય, ત્યાં અક્ષત-ફળ-નૈવેદ્ય-પૂજા કરાય કે નહિ ? ભંડારમાં પૈસા મૂકાય કે નહિ ? દરેકની એટલી શક્તિ ન હોય કે, અક્ષત-ફળ-નેવેદ્ય જેટલી જ રકમ દેવદ્રવ્ય ખાતે ભરી દે અને દોષમાંથી બચી જાય. દોષમાંથી બચવાનો વિકલ્પ બતાવ્યો છે તો માત્ર શક્તિસંપન્ન વર્ગને જ પોસાય કે, રોજ કરેલી પૂજા જેટલી રકમ દેવદ્રવ્ય ખાતે ભરપાઈ કરી દે. આવી જગ્યાએ પહેલી પૂજાઆરતી જેવા ચડાવા બોલી શકાય ? ઉત્તર-૭ – પહેલા નંબરે જે દેરાસરમાં પૂજા કરવી હોય ત્યાંના દેવદ્રવ્યના વહીવટની પાકા પાયે બરાબર તપાસ કરવી. શંકા હોય ત્યાં દોષની ગણતરી રાખવી જ પડે. છતાં બીજી સગવડ ન હોય અને પૂજાદિ કરવાં જ પડે તો શક્તિમાને જેટલી રકમ ફળ-નૈવેદ્યાદિની થાય, એટલી દેવદ્રવ્ય ખાતે શુદ્ધ વહીવટવાળા સ્થાનમાં જમા કરવી જોઈએ. જેની તેટલી શક્તિ નથી, તેને માટે દોષ લાગે તેવી ઊંચી ક્રિયા કરવાનું શાસ્ત્ર કહ્યું જ નથી. એણે પોતાની શક્તિને અનુરૂપ પૂજાદિ કરી એ ફળ-નૈવેદ્યાદિની રકમ ઉપર મુજબ શુદ્ધ સ્થાને જમા કરાવવી. એ પણ શક્ય ન બને તેના માટે પૂજાના અન્ય-અન્ય ફૂલ ગૂંથી આપવા, કેસર ઘસી આપવું, અંગરચનાદિમાં સહાયક બનવું વગેરે ઘણા પ્રકારો સુવિહિત આચાર્યોએ શ્રાદ્ધવિધિ વગેરે ધર્મગ્રંથોમાં સ્પષ્ટ બતાવ્યા છે જ. તેથી શક્તિ અનુરૂપ ભૂમિકાનું સેવન કરવાથી ઉપર મુજબનો કોઈ પ્રશ્ન રહેતો નથી. પ્રશ્ન-૮ - આજે જે કેસર/સુખડથી ભગવાનની પૂજા થતી હોય છે, તે જ કેસર/સુખડ કપાળે તિલક કરવા વાટકીમાં રખાય છે. શું આ અનુચિત નથી ? અને જો અનુચિત હોય, તો પરદ્રવ્યથી પૂજા કરનારા અલ્પ શક્તિવાળા શ્રાવકે કપાળે કયા કેસરનું તિલક કરવું ? ઉત્તર-૮ - પ્રભુપૂજા માટે અને શ્રાવકને તિલક કરવા માટે કેસર) સુખડ જુદાં જુદાં જ હોવાં જોઈએ. છતાં જો કેસર/સુખડ વૈયક્તિક કે સાધારણનું હોય, તો તે લાવતી/મૂકતી વખતે “આમાંથી શ્રાવકને તિલક કરવા માટે કામે લેવાશે” એવી બુદ્ધિ હોય, તો બાધ નથી. માત્ર જિનપૂજાનો જ ઉદ્દેશ્ય હોય, તો દોષ લાગે. સાધારણ કે મંદિર સાધારણમાંથી વ્યવસ્થા કરેલી હોય, તો ૫૬ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો?
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy