SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ કરવો હોય તો પણ તેમાં સાધુ-સાધ્વી વૈયાવચ્ચ ખાતાના પૈસા વાપરી શકાય નહિ, તો નવીન ઉપાશ્રય બનાવવામાં તો ન જ વપરાય તે સમજાય તેવું છે. ઉપાશ્રયનો જિર્ણોદ્ધાર કરવો હોય, તો કયા દ્રવ્યથી (કયા ખાતાના પૈસાથી) કરવો તેની સમજ આપતાં “શ્રી સંવેગરંગશાળા” નામના ગ્રંથમાં લખ્યું છે કે, “જો પોતે સમર્થ હોય તો સ્વયં, અન્યથા ઉપદેશ કરીને બીજા દ્વારા અને એ બેના અભાવે સાધારણ દ્રવ્યથી પણ તે પૌષધશાળાનો ઉદ્ધાર કરાવે. (૨૮૮૪). આમ વિધિથી પૌષધશાળાનો ઉદ્ધાર કરાવનાર તે ધન્ય પુરુષ નિયમો બીજાઓને સસ્પ્રવૃત્તિનું કારણ બને. (૨૮૮૫)” આ રીતે છેલ્લા ઉપાય તરીકે સાધારણ દ્રવ્યમાંથી ઉપાશ્રયનો જિર્ણોદ્ધાર કરવાનું કહ્યું, પણ સાધુ-સાધ્વી વૈયાવચ્ચના દ્રવ્યથી કરવાનું કહ્યું નથી. કેટલેક સ્થળે ગુરુપૂજનમાં આવેલ આવક કે ગુરુને કામની વહોરાવવા આદિની ઉછામણી, આદિની આવક જે શાસ્ત્ર મુજબ જિનમંદિર જિર્ણોદ્ધાર કે નવનિર્માણમાં જ વાપરી શકાય તેને બદલે વૈયાવચ્ચ ખાતે ખતવી તેમાંથી ઉપાશ્રય નિર્માણાદિમાં આપવામાં આવે છે, તે તદ્દન અયોગ્ય છે અને એવા ઉપાશ્રયમાં સાધુ-સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા કોઈ પણ ઊતરી ન શકે. માટે એ અંગેની પૂરી ચોક્સાઈ કરી લેવી હિતાવહ છે. પ્રશ્ન-૪ – એકવાર દેરાસરમાં ચડેલી બદામ ફરીવાર ચડાવાય કે નહીં ? દેરાસરમાં ચડેલી બદામને બજારમાં વેચતાં તેની કિંમત ઓછી આવતી હોય છે. તો તેના કરતાં વધારે કિંમત આપીને એ બદામ અમે ખરીદી લઈએ એનો ઘરમાં ક્યાંય ઉપયોગ ન કરીએ, પણ દેરાસરમાં ચડાવીએ તો દોષ લાગે ? ઉત્તર-૪ – દેરાસરમાં ચડાવેલ બદામ, ફળ, નૈવેદ્ય, શ્રીફળ, ચોખા વગેરે વસ્તુઓ નિર્માલ્ય ગણાય છે અને એ રીતે એકવાર જે વસ્તુ નિર્માલ્ય બની ગઈ, તે ફરીવાર ચડાવી શકાય નહિ. ભગવાનની ભક્તિમાં હંમેશાં તાજા અને નવાં જ ફળ, નૈવેદ્ય, શ્રીફળ વગેરે ચડાવવાનાં હોય છે. એટલે એકવાર ચડાવેલ ફરી ચડાવવાથી નિર્માલ્ય ચડાવવાનો દોષ લાગે છે. પ૪ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો?
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy