SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ટ્રસ્ટી એટલે સંઘનો સેવક “મારું અહોભાગ્ય છે કે, મને સંઘની સેવાનું સૌભાગ્ય સાંપડયું' તેમ દરેક ટ્રસ્ટી માને. જિનાજ્ઞા અનુસાર વહીવટ કરવાથી થાવ તીર્થકર નામકર્મનો બંધ થાય છે અને જિનાજ્ઞાથી વિપરીત વહીવટ કરવાથી અનંત સંસાર પરિભ્રમણ પણ થાય છે, માટે લક્ષ આપી, જિનાજ્ઞાને સમજી એનો અમલ કરે. સાધુ-સાધ્વીજીને જોઈ ટ્રસ્ટીનું મસ્તક ઝૂકી જાય. એમની વૈયાવચ્ચમાં એ રસ લે. એમની સંયમયાત્રા અને શરીર-સ્વાથ્ય સુખરૂપ રહે એ માટે ધ્યાન આપે. બધા જ ચોપડા-હિસાબ અરીસાની જેમ ચોખ્ખા રાખે. કોઈ પણ આવી જોવા-પૂછવા માગે તો પૂરી ધીરજથી ટ્રસ્ટી એને બતાવે અને હૃદયની જિજ્ઞાસાને તૃપ્ત કરી આપે. કોઈની સાથે તોછડો-ક્ષુદ્ર વ્યવહાર તો એ ન જ કરે. * બાળક પાસેથી પણ હિતકારી સૂચન મળે તો તે પ્રેમથી સ્વીકારે. ટ્રસ્ટીઓની મિટીંગોમાં તે જરૂર હાજર રહે. જિનાજ્ઞાનુસારી કાર્યમાં તે હંમેશા સહયોગ આપે. આજ્ઞા-વિરોધી કાર્યને સમજદારી અને વિવેકથી રોકે. સાચું તે જ મારું એમ માને, પણ મારું તે જ સાચું; એમ ન માને. પોતાની વાતનો કદાગ્રહ ન રાખે. માન-કષાય, અહંકાર, ઈગોને આધીન થઈ સંઘનાં કાર્યો ન બગાડે. ભગવાનના ધામમાં ક્યાંય સિગારેટ, બીડી પીવાનું ન થવા દે. માવો, પાન, પાન-મસાલા, સોપારી વગેરે એ પોતે ન ખાય. બીજાને પણ ન ખવડાવે. આવી ખાણી-પીણી રોકે. પેઢીમાં બેસી ચા-કૉફી અથવા નાસ્તો કરવો એના માટે શોભાસ્પદ નથી જ. * શાસનના કોઈ પણ કાર્ય માટે ટ્રસ્ટી, પોતાની શક્તિ હોય તો સ્વદ્રવ્ય જ વાપરીને લાભ લે. શક્તિ ન હોય ત્યારે જેટલો ખર્ચ થયો હોય તેટલો જ લે. દા.ત. ક્યાંક દેરાસરના કાર્ય માટે ગયા હો ત્યારે ગાડીભાડું સાધારણ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૪૭
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy