________________
+ દેવદ્રવ્ય વગેરેની તેમજ ધર્માદા દ્રવ્યની બરાબર ઉઘરાણી કરવી. + વસૂલ કરેલ દ્રવ્ય સુરક્ષિત સ્થાને રાખવું. + બધાં જ દ્રવ્યો તેમજ ખાતાઓનો હિસાબ સ્પષ્ટ અને ચોખ્ખો લખાવવો. * ભંડારની આવક, ખર્ચ અને સુરક્ષાની વ્યવસ્થા કરવી. * ભંડાર, સુરક્ષા-સ્થાન વગેરેના સંરક્ષણ માટે ચોકીદારો વગેરે રાખવા. - સાધર્મિકો, ગુરુભગવંતો, જ્ઞાનભંડાર અને ધર્મશાળા વગેરેની ઉચિત પદ્ધતિથી સંભાળ રાખવામાં શક્તિનો ઉપયોગ કરવો. ઋદ્ધિસંપન્ન શ્રીમંત શ્રાવકો, સિદ્ધાચલ વગેરે મહાતીર્થોનો તેમજ પોતાના ગામ-શહેરની આસપાસ આવેલા તીર્થોનો ઉપરોક્ત વિધિથી રક્ષણ કરે;
ઉદ્ધાર કરે, એના ટેક્ષો દૂર કરાવે. આ અને આવાં જ અન્ય પણ કાર્યો કરવાં જોઈએ. જેવાં કે - * દેરાસરમાં લાઈટ-ઈલેક્ટ્રિસિટીનો ઉપયોગ ન કરવો. ઘણાં પ્રાચીન તીર્થો
અને પ્રભાવક દેરાસરોમાં લાઈટનો ઉપયોગ કરાતો નથી. + દીવાઓને કાચની હાંડીઓ વગેરેમાં મૂકવાં. જેથી ત્રસ જીવોની રક્ષા થઈ
શકે. દેરાસરોના શિખર પર કાયમી માચડાઓ ન લગાડવા. એ શિલ્પનો દોષ
ગણાય. એનાથી સંઘનો વિકાસ રુંધાય છે. + અંગલુછણાં-પાટલૂછણાં ધોવા માટે જૂદી જૂદી વ્યવસ્થા ગોઠવવી.
સ્નાત્રજળને સૂકવી દેવા માટે મોટી, જયણા મળે તેવી કુંડીઓ બનાવવી.
એમાં નિગોદ-ત્રસ જીવોની ઉત્પત્તિ-નાશ ન થાય તેનું ધ્યાન રાખવું. - દેરાસરોના શિખર વગેરેમાં ઝાડ ઊગી નીકળે છે, જે દેરાસરને નુકસાન
પહોંચાડે છે. તેને જયણાપૂર્વક દૂર કરવાં. નિર્માલ્ય પુષ્પો છાંયડામાં સૂકવી થોડા થોડા દિવસોના આંતરે, કોઈના પગ ન પડે એવા નિર્જન સ્થાનમાં પરઠવવાં વગેરે.
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?
૪૧