________________
પરિશિષ્ટ-૨ જિનમંદિર (દેરાસર) સંબંધી કેટલાક કાર્યો :
જે સંઘના આગેવાને કરવાના હોય છે. દ્રવ્યસપ્તતિકા ગ્રંથમાં દેરાસરનું ધ્યાન રાખતા ટ્રસ્ટી-કાર્યવાહક-વ્યવસ્થાપક આગેવાન સુશ્રાવક યોગ્ય
કેટલાક કાર્યો બતાવવામાં આવ્યા છે : * દેરાસરનો ચૂનો વગેરે પદાર્થોથી સંસ્કાર કરવો, રંગરોગાન કરાવવું. * દેરાસર અને એની આજુબાજુના પ્રદેશની સાફસફાઈ કરાવવી.
પૂજાનાં ઉપકરણો નવાં બનાવવાં, સારી રીતે રાખવાં, મેળવવાં. * પ્રભુ પ્રતિમાજી તેમજ પરિકરની નિર્મળતા રાખવી.
મહાપૂજા વગેરેમાં દીવાની રોશની વગેરે દ્વારા શોભા-વૃદ્ધિ કરવી. અક્ષત, નૈવેદ્ય, ફળ વગેરે નિર્માલ્ય વસ્તુઓની સુરક્ષાની વ્યવસ્થા કરવી. નિર્માલ્ય વસ્તુઓને અજૈનોમાં સુયોગ્ય ભાવે વેચીને આવેલી રકમ દેવદ્રવ્યમાં જમા કરવી. પ્રભુની આંગીમાં ચડેલ વરખ-બાદલું વગેરેને રીફાઈનરીમાં
ગળાવીને મળેલ સોના-ચાંદી ‘દેવદ્રવ્ય'માં જમા કરવાં. * કેસર-ચંદન, ઘી વગેરે પૂજા યોગ્ય વસ્તુઓ મેળવી સંચય કરવો.
૪૦ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?