________________
માત્ર વેશધારી, આચાર-વિચારથી ભ્રષ્ટ, શિથિલાચારી સાધુ-સાધ્વી પાસે કોઈ માલ-મિલકત ભેગી થયેલી મળે અથવા તેમના કાળધર્મ પછી તેમની કોઈપણ રાશિ મળે તો તે દ્રવ્ય અશુદ્ધ દ્રવ્ય હોવાથી જીવદયામાં વાપરવી જોઈએ. તીર્થકરની આજ્ઞાનો ભંગ થઈ રહેલો જોવા છતાં જે માધ્યસ્થ બની ગૂંગા રહે છે, તે અવિધિની અનુમોદના કરવાવાળા છે. એથી તેમના વ્રતો-મહાવ્રતો લોપાઈ ગયેલાં છે, એમ સમજવું. * ધર્મની નિંદા કરનાર-કરાવનારને ભવાંતરમાં ધર્મ પ્રાપ્ત થતો નથી. • ભાવના પોતાને મોક્ષ આપે છે, જ્યારે પ્રભાવના તો પોતાની સાથે બીજાને
પણ મોક્ષ અપાવે. જૈનશાસનની પ્રભાવના કરનાર જીવ તીર્થકર બને છે. શાસ્ત્રમાં કહ્યું છે કે – ‘સવિરો થમો ' ધર્મ, ગુરુની સાક્ષીમાં કરવાનો હોય છે.
*
*
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?
૩૯