________________
* કોઈકે ધર્મકાર્યમાં વાપરવા માટે કાંઈક ધન આપ્યું હોય, તેને તે વ્યક્તિના
નામની સ્પષ્ટ જાહેરાત કરવાપૂર્વક વાપરવું જોઈએ. પોતાના નામે કે મૌન
રહીને ન વાપરવું. + માતા-પિતા વગેરે સ્વજનોને અંતિમ અવસ્થા પ્રસંગે સુકૃતમાં જે ધન વાપરવાનું
જાહેર કર્યું હોય તેને સંઘ સમક્ષ સમયમર્યાદા પૂર્વક જાહેર કરવું અને તરત
એ ધનને તેમના નામથી જ વાપરવું. + ધર્મના ઉપકરણોને જ્યાં ત્યાં રખડતા મૂકવાથી શ્રાવકને મોટું પ્રાયશ્ચિત્ત આવે છે. માટે ધર્મોપકરણને સાચવી રાખવું અને કામ પૂર્ણ થતાં જ સુયોગ્ય
સ્થાને મૂકવું. + દેવદ્રવ્ય વગેરેની રક્ષાના કાર્યમાં શક્તિ હોવા છતાં ઉપેક્ષા કરનાર સાધુ પણ
અનંત સંસારી બની જાય છે, માટે ઉપેક્ષા ન કરવી. + પોતાના પ્રાણોની ન્યોછાવરી કરીને પણ શાસનની આશાતનાઓને
રોકવી જોઈએ. + દેવદ્રવ્યની શાસ્ત્રોક્ત માર્ગોથી વૃદ્ધિ અને રક્ષા કરનાર પોતાનો સંસાર
સીમિત કરે છે અને તીર્થકર પણ બને છે. જ્યારે દેવદ્રવ્યનું ભક્ષણ, નાશ અને ઉપેક્ષા કરનાર અનંત સંસારી પણ બને છે. + અજ્ઞાનમાં પણ જો દેવદ્રવ્યનો ભોગવટો થયો હોય તો તરત ગીતાર્થ ગુરુભગવંતો
પાસે આલોચના-પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. + દેવદ્રવ્યનો જેમતેમ ઉપયોગ-ઉપભોગ કરવાવાળાં ગામો-શહેરો શોભારહિત,
નિર્ધન, અભાગ્યવાન, વ્યાપારહીન અને તુચ્છ બની જાય છે. + દેવદ્રવ્ય અને પરસ્ત્રીનો ભોગવટો કરનાર, સાત વાર સાતમી નરકે જાય છે,
એમ પ્રભુ શ્રી મહાવીરે શ્રી ગૌતમસ્વામીજીને કહ્યું હતું. * જેના ઘરમાં દેવદ્રવ્ય ભોગવાયું હોય, ત્યાંની કોઈ પણ વસ્તુ શ્રાવકે પોતાના
ભોગમાં ન લેવી જોઈએ.
૩૮ ઘર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?