SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. સ્થાપનાચાર્ય વહોરાવવાની દેવદ્રવ્યમાં ૩. મંત્રપટ-મંત્રાલર પોથી વહોરાવવાની જ્ઞાનદ્રવ્યમાં ૪. નવકારવાળી વહોરાવવાની જ્ઞાનદ્રવ્યમાં ૫. ગુરુપૂજનની દેવદ્રવ્યમાં ૬. કાંમળી વહોરાવવાની દેવદ્રવ્યમાં ૭. નૂતન નામ જાહેર કરવાની દેવદ્રવ્યમાં નોંધ : ગુરુપૂજન અને ચારિત્રના ઉપકરણ વગેરે ગુરુ સંબંધી આવક જિનમંદિર જીર્ણોદ્ધાર-નવનિર્માણમાં જાય છે. વ્યવસ્થાપકોની સુવિધા માટે દેવદ્રવ્ય લખેલ છે. વિવેકપૂર્વક ઉપયોગ કરવો. ૨૬. પૂજારીના પગાર સંબંધી પરમાત્માને સ્વયં પૂજાની કોઈ જરૂર નથી. જિનપૂજા કરવી એ શ્રાવકોનું પોતાનું કર્તવ્ય છે. આપણે આપણી સગવડતા અને સહાયતા માટે પૂજારી રાખીએ છીએ. આથી પૂજારીને પગાર વગેરે આપણે (શ્રાવકોએ) પોતે જ આપવો જોઈએ. જો પોતે ન આપી શકીએ તો સાધારણ ખાતામાંથી અથવા જિનમંદિર સાધારણ ખાતામાંથી આપવો જોઈએ. પરંતુ દેવદ્રવ્યમાંથી પૂજારીને પગાર વગેરે આપી શકાય નહિ. ૨૭. દેવ-દેવી સંબંધી સમજ શાસ્ત્ર મર્યાદા મુજબ દેરાસરમાં મૂળનાયક ભગવાનનાં યક્ષ-યક્ષિણી સિવાય અન્ય કોઈ પણ દેવ-દેવીની પ્રતિમા વગેરે પધરાવવા ઉચિત નથી. મૂળનાયક પ્રભુ પણ જો પરિકર સાથેના હોય તો તેમના દેવ-દેવી પણ પરિકરમાં હોવાથી જ એમની અલગ મૂર્તિ પધરાવવાની આવશ્યકતા નથી. ચડાવા કયા ખાતામાં ૧. દેરાસર સ્વદ્રવ્યમાંથી બનાવ્યું હોય અથવા યક્ષ-યક્ષિણીની દેવકુલિકાની જગ્યા અને દેવકુલિકા સાધારણમાંથી બનાવી હોય તો તેમાં પધરાવવાની જે મૂર્તિ, તેને ભરાવવાનાં, પ્રતિષ્ઠાનાં ચડાવાની રકમ સાધારણમાં ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૨૫
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy