________________
૨. સ્થાપનાચાર્ય વહોરાવવાની
દેવદ્રવ્યમાં ૩. મંત્રપટ-મંત્રાલર પોથી વહોરાવવાની
જ્ઞાનદ્રવ્યમાં ૪. નવકારવાળી વહોરાવવાની
જ્ઞાનદ્રવ્યમાં ૫. ગુરુપૂજનની
દેવદ્રવ્યમાં ૬. કાંમળી વહોરાવવાની
દેવદ્રવ્યમાં ૭. નૂતન નામ જાહેર કરવાની
દેવદ્રવ્યમાં નોંધ : ગુરુપૂજન અને ચારિત્રના ઉપકરણ વગેરે ગુરુ સંબંધી આવક જિનમંદિર જીર્ણોદ્ધાર-નવનિર્માણમાં જાય છે. વ્યવસ્થાપકોની સુવિધા માટે દેવદ્રવ્ય લખેલ છે. વિવેકપૂર્વક ઉપયોગ કરવો.
૨૬. પૂજારીના પગાર સંબંધી પરમાત્માને સ્વયં પૂજાની કોઈ જરૂર નથી. જિનપૂજા કરવી એ શ્રાવકોનું પોતાનું કર્તવ્ય છે. આપણે આપણી સગવડતા અને સહાયતા માટે પૂજારી રાખીએ છીએ. આથી પૂજારીને પગાર વગેરે આપણે (શ્રાવકોએ) પોતે જ આપવો જોઈએ. જો પોતે ન આપી શકીએ તો સાધારણ ખાતામાંથી અથવા જિનમંદિર સાધારણ ખાતામાંથી આપવો જોઈએ. પરંતુ દેવદ્રવ્યમાંથી પૂજારીને પગાર વગેરે આપી શકાય નહિ.
૨૭. દેવ-દેવી સંબંધી સમજ શાસ્ત્ર મર્યાદા મુજબ દેરાસરમાં મૂળનાયક ભગવાનનાં યક્ષ-યક્ષિણી સિવાય અન્ય કોઈ પણ દેવ-દેવીની પ્રતિમા વગેરે પધરાવવા ઉચિત નથી. મૂળનાયક પ્રભુ પણ જો પરિકર સાથેના હોય તો તેમના દેવ-દેવી પણ પરિકરમાં હોવાથી જ એમની અલગ મૂર્તિ પધરાવવાની આવશ્યકતા નથી. ચડાવા
કયા ખાતામાં ૧. દેરાસર સ્વદ્રવ્યમાંથી બનાવ્યું હોય અથવા યક્ષ-યક્ષિણીની દેવકુલિકાની જગ્યા અને દેવકુલિકા સાધારણમાંથી બનાવી હોય તો તેમાં પધરાવવાની જે મૂર્તિ, તેને ભરાવવાનાં, પ્રતિષ્ઠાનાં ચડાવાની રકમ સાધારણમાં
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૨૫