________________
૨૪. ઉધાપન-ઉજમણું
ઉદ્યાપન-ઉજમણામાં દર્શન, જ્ઞાન અને ચારિત્રની પુષ્ટિ થાય અને સાત ક્ષેત્રમાં ઉપયોગી થાય તેવા જ ઉપકરણ રાખવા જોઈએ. ઉદ્યાપન-ઉજમણાનું ઉદ્ઘાટન કરવાની બોલીની ૨કમમાંથી દર્શન, જ્ઞાન અને ચારિત્ર સંબંધી ઉપકરણ લાવી (ખરીદી) શકાય છે.
ઉપયોગ :
જિનમંદિરમાં ઉપયોગી હોય તેવી વસ્તુઓ જિનભક્તિના કાર્યમાં ઉપયોગમાં લેવી.
- પૂ. સાધુ-સાધ્વીજીને ઉપયોગી બનતાં ઉપકરણો એમની ભક્તિ માટે એમને વહોરાવી શકાય છે.
ધાર્મિક પુસ્તકો પૂ. સાધુ-સાધ્વીજીને અથવા જરૂરિયાતવાળા શ્રાવકશ્રાવિકાઓને આપવી. જ્ઞાનભંડારમાં પણ રાખી શકાય છે.
પૂજાના વસ્ત્રો અને સામાયિકના ઉપકરણો જરૂરિયાતવાળા શ્રાવકશ્રાવિકાઓને આપવા.
- ચંદરવો-છોડ બનાવેલ હોય તો તેનો ઉપયોગ દેરાસર-ઉપાશ્રયમાં કરી શકાય છે.
ગુરુ ભગવંતની પાછળ જે છોડ બનાવવાનો હોય તો તેમાં દેવ-ગુરુની આકૃતિ ન હોય એવો જ ભરાવવો જોઈએ.
- ઉઘાપન-ઉજમણું કરાવનાર વ્યક્તિ કે પરિવાર સ્વયં ઉજમણામાં રાખેલી વસ્તુનો ઉપયોગ ન કરી શકે. કાં તો સંઘમાં સોંપી દેવી જોઈએ અથવા સુયોગ્ય સ્થાનોમાં ભેટ આપવી જોઈએ.
- પોતે ભરાવેલા છોડ વગેરે જો ઉજમણામાં રાખ્યા હોય તો પોતાના ઘરમાં રાખી શકાય નહિ . એને પણ સુયોગ્ય સ્થાનમાં આપવા જોઈએ.
૨૫. આચાર્ય વગેરે પદપ્રદાન પ્રસંગે બોલાવાતા ચડાવાઓ
ચડાવા રકમ
૧. આસન વહોરાવવાની
૨૪ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?
ક્યા ખાતામાં ? દેવદ્રવ્યમાં