SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪. ઉધાપન-ઉજમણું ઉદ્યાપન-ઉજમણામાં દર્શન, જ્ઞાન અને ચારિત્રની પુષ્ટિ થાય અને સાત ક્ષેત્રમાં ઉપયોગી થાય તેવા જ ઉપકરણ રાખવા જોઈએ. ઉદ્યાપન-ઉજમણાનું ઉદ્ઘાટન કરવાની બોલીની ૨કમમાંથી દર્શન, જ્ઞાન અને ચારિત્ર સંબંધી ઉપકરણ લાવી (ખરીદી) શકાય છે. ઉપયોગ : જિનમંદિરમાં ઉપયોગી હોય તેવી વસ્તુઓ જિનભક્તિના કાર્યમાં ઉપયોગમાં લેવી. - પૂ. સાધુ-સાધ્વીજીને ઉપયોગી બનતાં ઉપકરણો એમની ભક્તિ માટે એમને વહોરાવી શકાય છે. ધાર્મિક પુસ્તકો પૂ. સાધુ-સાધ્વીજીને અથવા જરૂરિયાતવાળા શ્રાવકશ્રાવિકાઓને આપવી. જ્ઞાનભંડારમાં પણ રાખી શકાય છે. પૂજાના વસ્ત્રો અને સામાયિકના ઉપકરણો જરૂરિયાતવાળા શ્રાવકશ્રાવિકાઓને આપવા. - ચંદરવો-છોડ બનાવેલ હોય તો તેનો ઉપયોગ દેરાસર-ઉપાશ્રયમાં કરી શકાય છે. ગુરુ ભગવંતની પાછળ જે છોડ બનાવવાનો હોય તો તેમાં દેવ-ગુરુની આકૃતિ ન હોય એવો જ ભરાવવો જોઈએ. - ઉઘાપન-ઉજમણું કરાવનાર વ્યક્તિ કે પરિવાર સ્વયં ઉજમણામાં રાખેલી વસ્તુનો ઉપયોગ ન કરી શકે. કાં તો સંઘમાં સોંપી દેવી જોઈએ અથવા સુયોગ્ય સ્થાનોમાં ભેટ આપવી જોઈએ. - પોતે ભરાવેલા છોડ વગેરે જો ઉજમણામાં રાખ્યા હોય તો પોતાના ઘરમાં રાખી શકાય નહિ . એને પણ સુયોગ્ય સ્થાનમાં આપવા જોઈએ. ૨૫. આચાર્ય વગેરે પદપ્રદાન પ્રસંગે બોલાવાતા ચડાવાઓ ચડાવા રકમ ૧. આસન વહોરાવવાની ૨૪ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ક્યા ખાતામાં ? દેવદ્રવ્યમાં
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy