________________
જુદા વિભાગો અને ઉપાશ્રય નામકરણ માટે આવેલી રકમ, ઉપાશ્રય ખાતાની પેટી-ભંડારમાંથી નીકળેલી રકમ, ઉપાશ્રય ઉદ્ઘાટનની બોલીની રકમ વગેરે ઉપાશ્રય ખાતાનું દ્રવ્ય ગણાય છે.
- ધર્મ આરાધના કરવા માટે ઉપાશ્રયનું નિર્માણ શ્રાવકે પોતાનાં સ્વદ્રવ્યથી કરવું જોઈએ.
- ઉપાશ્રય, શ્રાવક-શ્રાવિકા સંઘની આરાધના માટેનું પવિત્ર સ્થાન છે. એનો ઉપયોગ ધાર્મિક કાર્યો કરવા માટે જ કરવો જોઈએ. વ્યવહારિક-સ્કૂલ, કોલેજ, રાષ્ટ્રીય-સામાજિક પ્રવૃત્તિઓ-સમારોહ અને લગ્ન વગેરે સાંસારિક કોઈ પણ કાર્યમાં આ ઉપાશ્રયનાં મકાનનો ઉપયોગ કરી શકાય નહિ.
ઉપરોક્ત કોઈ પણ કાર્યો માટે આ ઉપાશ્રય ભાડાથી પણ આપી ન શકાય. - આ ધર્મસ્થાનોની માલિકી કોઈ કરી શકે નહિ. કારણ કે આ જૈનશાસનની અબાધિત મિલકત છે અને રહેશે. ,
- ઉપાશ્રયની જમીન ખરીદવા કે ઉપાશ્રય વગેરે સ્થાન બનાવવા માટે દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, વૈયાવચ્ચ દ્રવ્ય વગેરેનો ઉપયોગ કરી શકાય નહિ. તે જ પ્રમાણે તે-તે ખાતામાંથી વ્યાજે કે વગર વ્યાજે લોન પણ લઈ શકાય નહિ.
- લક્કી ડ્રો (ભાગ્ય લક્ષ્મી) જેવી અહિતકર પદ્ધતિઓ દ્વારા પણ ઉપાશ્રય માટે રકમ એકઠી કરવી ઉચિત નથી.
- ઉપાશ્રયમાં શય્યાતર તરીકે જે રકમ (ફંડ) ભેગી થઈ હોય તે રકમ ઉપાશ્રય નિર્માણ અને સમારકામ માટે વાપરી શકાય.
- ક્યાંક ક્યાંક ઉપાશ્રય અને દેરાસર બાજુ-બાજુમાં જ હોય છે. ત્યાં ઉપાશ્રયની અંદર કે બહાર ક્યાંય પણ અજાણતા પણ દેવદ્રવ્યની કોઈ વસ્તુ, માર્બલ, ટાઈલ્સ, ઈંટ, સીમેન્ટ વગેરે વપરાઈ ન જાય તેનું પાકું ધ્યાન રાખવું.
- ભૂલથી પણ ક્યારેક આવું બની જાય તો તરત તેની રકમ દેવદ્રવ્યમાં જમા કરી દેવી જોઈએ. જો તેમ કરવામાં ન આવે તો દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગે છે.
૧૮ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો?