________________
૧૨-સાતક્ષેત્ર સાધારણ સાતક્ષેત્રના નામ : ૧-જિનપ્રતિમા, ૨-જિનમંદિર, ૩-જિનાગમ, ૪-સાધુ, પ-સાધ્વી, ક-શ્રાવક અને ૭-શ્રાવિકા.
સાત ક્ષેત્રમાં જ્યાં પણ જરૂર હોય ત્યાં વાપરવા માટે કોઈક દ્વારા જે દ્રવ્ય પ્રાપ્ત થયું હોય તો એનો ઉપયોગ જે ક્ષેત્રમાં જેટલી જરૂર હોય તે પ્રમાણમાં વાપરી શકાય છે. અથવા દાતાની ભાવના અને આશય અનુસાર તે-તે ક્ષેત્રમાં વાપરી શકાય છે. સાત ક્ષેત્રની પેટી/ડબ્બા/ગોખલા:
- સાતક્ષેત્રના અલગ-અલગ નામોલ્લેખપૂર્વક પેટી વગેરે રાખ્યા હોય તો એમાંથી નીકળેલા પૈસા તે તે ખાતામાં આવક મુજબ-જરૂરિયાત મુજબ વાપરી શકાય.
- સાત ક્ષેત્રોની ભેગી પેટી રાખી હોય તો તેમાંથી નીકળેલા પૈસા સાત ક્ષેત્રમાં સમાન ભાગ કરી વાપરી શકાય.
- સાત ક્ષેત્ર માટે ફંડ ભેગું કર્યુ હોય તો એને સમાન ભાગ કરી સાત ક્ષેત્રોમાં લગાવી શકાય.
- આ સિવાય પણ કોઈપણ ફંડ કરતી વખતે જે જાહેરાત કરીને ફંડ કર્યુ હોય તે મુજબ એનો ઉપયોગ કરવો.
- પગાર વગેરે સાધારણનો ખર્ચો આ દ્રવ્યમાંથી ન કરવો. - જીવદયા-અનુકંપાના કાર્યોમાં આનો ઉપયોગ ન કરવો.
નોંધ : સાત ક્ષેત્રની પેટી-ભંડાર, જીવદયાની પેટી, સાધર્મિક ભક્તિની પેટી, પાઠશાળા-આયંબીલ ભવનની પેટી વગેરે જિનમંદિરની અંદરના ભાગમાં ન રાખી શકાય. એ ઉપાશ્રયમાં અથવા જિનમંદિરની બહાર ક્યાંક સુરક્ષિત સુયોગ્ય સ્થાનમાં રાખવી. આ ખાસ ધ્યાન રાખવું.
૧૩-ઉપાશ્રય-પૌષધશાળા-આરાધના ભવન - ઉપાશ્રય બનાવવા માટે દાનવીરો દ્વારા આપેલી રકમ, ઉપાશ્રયના જુદા
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૭