________________
- જિનમંદિરના વહીવટ માટે દર વર્ષે બાર મહિનાની બાર અથવા પંદર દિવસની એક; એમ ૨૪ બોલીઓ બોલવાનું આયોજન કરવામાં આવે તો તેની ઉપજમાંથી કેસર-ચંદન વગેરેના ખર્ચા અને પૂજારીના પગાર વગેરે ખર્ચા કરી શકાય.
- શ્રી જિનમૂર્તિ, શ્રી જિનમંદિરના કાર્યો સિવાયના શ્રીસંઘની પેઢીના માણસ તથા ઉપાશ્રય, પાઠશાળા, આયંબિલ ખાતા આદિ સ્થાનોમાં કચરો કાઢનાર માણસના પગાર વગેરે કોઈ પણ કાર્યમાં જિનમંદિર સાધારણદ્રવ્યનો ઉપયોગ ન કરી શકાય. • ખાસ ધ્યાનમાં રાખવાની વાતો :
- નીચે બતાવેલ ખર્ચાઓ જિનમંદિર સાધારણ ખાતામાંથી ન થઈ શકે. એને સાધારણ ખાતામાંથી જ કરવા જોઈએ. ૧-સંઘની પેઢીના વહીવટના ખર્ચા. ' ર-સ્ટેશનરી, પોસ્ટેજ, ટેલીફોન, પાણી વગેરેના ખર્ચા. ૩-દેરાસરની બહાર દર્શનાર્થી માટે પાણીની વ્યવસ્થાનો ખર્ચો. ૪-પગ લૂંછણીયા, કારપેટ વગેરેના ખર્ચા. પ-સૂચના લખવા બ્લેક બોર્ડ, ચાક, કપડાદિના બેનર. ઉ-સાલગીરીના દિવસે ધજા માટે પાલખ બાંધવાના. ૭-ધાર્મિક કાર્યો માટેના મંડપ વગેરેના ખર્ચા. ૮-સ્નાત્ર પૂજા વગેરેની પુસ્તકો-સાપડા વગેરેના ખર્ચા.
૧૦-સાધારણ દ્રવ્ય શ્રીસંઘની પેઢીમાં, તીર્થની પેઢીમાં સાધારણ ખાતામાં ઉદારતા સંપન્ન શ્રાવકો દ્વારા જે દાન પ્રાપ્ત થાય છે અને સાધારણ ખાતા માટે કાયમી તિથિઓની રકમ આ ખાતામાં જમા થાય છે. ચડાવા બોલવાથી પણ સાધારણ દ્રવ્યની આવક થાય છે.
૧૪ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?