________________
ગુરુપૂજન અને કામની વહોરાવા આદિ ઉપરોક્ત બધા ચડાવાનું ગુરુદ્રવ્ય સાધુ-સાધ્વી વૈયાવચ્ચના કોઈપણ કાર્યમાં વાપરી શકાય નહિ. ગુરુમંદિર-ગુરુમૂર્તિ વગેરે સંબંધી ચડાવા રકમ ૧-ગુરુમંદિર ભૂમિપૂજન-ખનન અને શિલાસ્થાપનની ૨-ગુરુમૂર્તિ - પાદુકા ભરાવવાની ૩-ગુરુમૂર્તિ - પાદુકાના પાંચ અભિષેકની ૪-ગુરુમૂર્તિ - પાદુકાની પ્રતિષ્ઠાની પ-ગુરુમૂર્તિ - પાદુકાના પૂજનની કુ-ચાર દિશામાં શ્રીફળ વધેરવાની ૭-ગુરુમંદિર ઉપર કળશ-ધજા સ્થાપવાની ૮-ગુરુભગવંતની પ્રતિકૃતિ (ફોટા)ને ઉપાશ્રયમાં કે બીજે ક્યાંય પણ પધરાવવાની, તેનાં ઉદ્ઘાટનની.
૯. ગુરુભગવંતના ફોટાનું પૂજન કરવાની. ૧૦. ગુરુમૂર્તિ-પાદુકા સમક્ષ રાખેલા ભંડાર-પેટી-ગોખલાની.
ઉપરની બધી રકમ અને તે-તે ભંડારની આવક ગુરુમૂર્તિનું નિર્માણ, ગુરુ, પાદુકાનાં નિર્માણ તથા તેના સમારકામમાં વાપરી શકાય છે. ગુરુમંદિરના જીર્ણોદ્ધાર-નવનિર્માણમાં અને જિનમંદિર જીર્ણોદ્ધાર-નવનિર્માણ પણ વાપરી શકાય છે. પૂ. સાધુ-સાધ્વીજીના કાળધર્મ પછી તેઓશ્રીના પાર્થિવદેહના
અગ્નિ-સંસ્કાર - અંતિમ યાત્રા નિમિત્તે ચડાવા - પૂ. સાધુ-સાધ્વીજીના કાળધર્મ પછી અંતિમયાત્રા-અંતિમ સંસ્કાર નિમિત્તે બોલાયેલી દરેક બોલીની રકમ
૧ - સ્વર્ગસ્થ પૂજ્યના પાર્થિવ દેહનું વિલેપન-બરાસ-ચંદન પૂજાનો. ૨ - સ્વર્ગસ્થ પૂજ્યના પાર્થિવ દેહની વાસક્ષેપ પૂજાનો. ૩ - સ્વર્ગસ્થ પૂજ્યના પાર્થિવદેહને પાલખીમાં પધરાવવાનો.
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૧