________________
સિક્કા આદિ દ્રવ્યોથી પૂજા કરી હોય, ગુરુપૂજનનો ચડાવો બોલાવ્યો હોય તો તે દરેક દ્રવ્ય જિનમંદિરનો જીર્ણોદ્ધાર અને નવનિર્માણમાં વાપરવું જોઈએ. આવું દ્રવ્યસપ્તતિકા ગ્રંથમાં સ્પષ્ટ પણે જણાવ્યું છે.
- ગુરુ પ્રવેશ મહોત્સવમાં સાંબેલા, હાથી, ઘોડા આદિની જે બોલી, ગુરુ મહારાજને કામળી આદિ ચારિત્રોપકરણ વહોરાવવાની બોલી, ગુરુપૂજનના ભંડારમાંથી ઉત્પન્ન દ્રવ્ય, તેમજ નૂતન દીક્ષિતને કરેમિ ભંતે ઉચ્ચરાવ્યા બાદની અવસ્થાની તમામ બોલીઓ દા.ત. નૂતન દીક્ષિતના નામ જાહેર કરવાની બોલી ગુરુદ્રવ્ય કહેવાય છે.
- આ દ્રવ્ય ભોગાહ – ભોગ યોગ્ય ન હોવાથી ગુરુમહારાજ (સાધુસાધ્વીજી)ના કોઈ પણ કાર્યમાં ઉપયોગમાં ન લઈ શકાય. પરંતુ દ્રવ્યસપ્તતિકા'ના પાઠને અનુસાર ગુરુમહારાજથી ઉંચા સ્થાનરૂપ જિનમંદિરના જીર્ણોદ્ધાર કે નવનિર્માણમાં જ ઉપયોગ કરી શકાય. - આ દ્રવ્ય પરમાત્માની અંગપૂજામાં ક્યાંય પણ ઉપયોગમાં ન આવે. - જે સાધુપણાના આચારથી રહિત હોય, જેને શાસ્ત્રોમાં દ્રવ્યલિંગી કહ્યાં છે, એવા વેશધારી સાધુ દ્વારા ભેગુ કરેલું ધન અત્યંત અશુદ્ધ હોવાથી એને અભયદાન-જીવદયામાં જ વાપરી શકાય. જિનમંદિર-જીર્ણોદ્ધારમાં ક્યાંય ન વાપરી શકાય. ગુરુપૂજન વગેરેનું દ્રવ્ય - ગુરુદ્રવ્ય :
ધર્મસંગ્રહ-દ્રવ્યસપ્તતિકા વગેરે ગ્રંથોને આધારે ગુરુદ્રવ્ય બે પ્રકારનું છે.
૧-ભોગાહે ગુરુદ્રવ્યઃ ગુરૂના ભોગ-ઉપભોગ (ઉપયોગ)માં આવી શકે એવું દ્રવ્ય એમને વહોરાવવું તે. દા.ત. આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, કામળી વગેરે.
ર-પૂજાઈ ગુરુદ્રવ્યઃ ગુરુની અંગપૂજા, અગ્રપૂજાના સ્વરૂપે જે સુવર્ણ આદિ દ્રવ્ય અર્પણ કરાય છે. તેને પૂજા ગુરુદ્રવ્ય કહેવાય. ઉદા. સોનાની ગીની, ચાંદીની ગીની મૂકીને ગુરુપૂજન કરવું, રૂપિયા અને સિક્કા મૂકીને ગુરુપૂજન વગેરે.
- ભોગાહે ગુરુદ્રવ્યનો ઉપયોગ ગુરુ સ્વયં કરી શકે છે. પૂજાઈ ગુરુદ્રવ્ય ગુરુના ઉપયોગમાં ક્યાંય વાપરી ન શકાય. આથી દ્રવ્યસપ્તતિકા ગ્રંથના પાઠને
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૯