SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૪-૫ જિન સાધુ-સાધ્વી ક્ષેત્ર - દાનવીરો પાસેથી પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતોની ભક્તિ માટે (વૈયાવચ્ચ માટે) જે દ્રવ્ય પ્રાપ્ત થયું હોય તે આ ખાતામાં ગણાય છે. - દીક્ષાર્થી ભાઈઓ-બહેનોની દીક્ષામાં દીક્ષાર્થીને અર્પણ કરવા માટે ચારિત્રના ઉપકરણોની બોલી બોલાય છે તેમાંથી ૧-પુસ્તક (પોથી), ર-નવકારવાળી, ૩-સાપડા ને અર્પણ કરવાની બોલી જ્ઞાનખાતામાં લઈ જવાય છે. બાકીના બધાં ઉપકરણોને અર્પણ કરવાની બોલીઓ સાધુ-સાધ્વી વૈયાવચ્ચ ખાતામાં જમા કરવામાં આવે છે. - પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચનો લાભ શ્રાવકે સ્વદ્રવ્યથી જ લેવો જોઈએ. જેથી ગુરુભક્તિનો લાભ પોતાને મળે. ઉપયોગ : - આ દ્રવ્ય પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોની સંયમ-શુશ્રુષા અને વિહારની અનુકૂળતા માટે વાપરી શકાય છે. - પૂ. સાધુ-સાધ્વીજી માટે દવા તેમજ જૈનેતર ડોક્ટર-વૈદ્ય વગેરેની ફી ચૂકવવા માટે કામમાં લઈ શકાય છે. - પૂ. સાધુ-સાધ્વીજીની સેવા માટે વિહારમાં રાખેલ જૈનેતર વ્યક્તિઓનાં પગાર પણ આપી શકાય છે. - જેનડોક્ટર-વૈદ્ય અને કોઈ પણ જૈન વ્યક્તિને આ રકમ આપી શકાય નહિ. - પૂ. સાધુ-સાધ્વીજીની ભક્તિ માટે કોઈએ વ્યક્તિગત રકમ આપી હોય તો તે રકમ વૈયાવચ્ચના દરેક કાર્યમાં વાપરી શકાય. આ રકમ જૈન ડોક્ટર આદિને ફિ-પગાર તરીકે પણ આપી શકાય. - સાધુ-સાધ્વી વૈયાવચ્ચ ખાતાની રકમમાંથી ઉપાશ્રય કે વિહારધામ બનાવી ન શકાય. તે જ પ્રમાણે તે મકાનોનું સમારકામ પણ આ દ્રવ્યમાંથી ન કરી શકાય. ઉપાશ્રય-વિહારધામમાં રાખેલા કાર્યકર માણસોને પગાર પણ ન આપી શકાય. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો? ૭.
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy