________________
૪-૫ જિન સાધુ-સાધ્વી ક્ષેત્ર - દાનવીરો પાસેથી પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતોની ભક્તિ માટે (વૈયાવચ્ચ માટે) જે દ્રવ્ય પ્રાપ્ત થયું હોય તે આ ખાતામાં ગણાય છે.
- દીક્ષાર્થી ભાઈઓ-બહેનોની દીક્ષામાં દીક્ષાર્થીને અર્પણ કરવા માટે ચારિત્રના ઉપકરણોની બોલી બોલાય છે તેમાંથી
૧-પુસ્તક (પોથી), ર-નવકારવાળી, ૩-સાપડા ને અર્પણ કરવાની બોલી જ્ઞાનખાતામાં લઈ જવાય છે. બાકીના બધાં ઉપકરણોને અર્પણ કરવાની બોલીઓ સાધુ-સાધ્વી વૈયાવચ્ચ ખાતામાં જમા કરવામાં આવે છે.
- પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચનો લાભ શ્રાવકે સ્વદ્રવ્યથી જ લેવો જોઈએ. જેથી ગુરુભક્તિનો લાભ પોતાને મળે. ઉપયોગ :
- આ દ્રવ્ય પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોની સંયમ-શુશ્રુષા અને વિહારની અનુકૂળતા માટે વાપરી શકાય છે.
- પૂ. સાધુ-સાધ્વીજી માટે દવા તેમજ જૈનેતર ડોક્ટર-વૈદ્ય વગેરેની ફી ચૂકવવા માટે કામમાં લઈ શકાય છે.
- પૂ. સાધુ-સાધ્વીજીની સેવા માટે વિહારમાં રાખેલ જૈનેતર વ્યક્તિઓનાં પગાર પણ આપી શકાય છે.
- જેનડોક્ટર-વૈદ્ય અને કોઈ પણ જૈન વ્યક્તિને આ રકમ આપી શકાય નહિ. - પૂ. સાધુ-સાધ્વીજીની ભક્તિ માટે કોઈએ વ્યક્તિગત રકમ આપી હોય તો તે રકમ વૈયાવચ્ચના દરેક કાર્યમાં વાપરી શકાય. આ રકમ જૈન ડોક્ટર આદિને ફિ-પગાર તરીકે પણ આપી શકાય.
- સાધુ-સાધ્વી વૈયાવચ્ચ ખાતાની રકમમાંથી ઉપાશ્રય કે વિહારધામ બનાવી ન શકાય. તે જ પ્રમાણે તે મકાનોનું સમારકામ પણ આ દ્રવ્યમાંથી ન કરી શકાય. ઉપાશ્રય-વિહારધામમાં રાખેલા કાર્યકર માણસોને પગાર પણ ન આપી શકાય.
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો? ૭.