SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ - જ્ઞાનભંડારની પુસ્તકોનો જો શ્રાવક-શ્રાવિકા ઉપયોગ કરે તો એનો સુયોગ્ય નકરો જ્ઞાનખાતામાં જમા કરવો જોઈએ. - જ્ઞાનાભ્યાસ સિવાય બીજા એક પણ કાર્યમાં સાધુ-સાધ્વીજી ભગવંતો પણ આ દ્રવ્યનો ઉપયોગ ન કરી શકે. કારણ કે દેવદ્રવ્યની જેમ જ્ઞાનદ્રવ્ય પણ ઉપરના ક્ષેત્રનું પવિત્ર દ્રવ્ય છે. - ઉપરોક્ત કોઈ પણ કાર્ય માટે મજૂરી પેઠે, જૈનપંડિતને, જૈન પુસ્તક વિક્રેતાઓને, જૈન ગ્રંથપાળને અથવા કોઈ પણ જૈન વ્યક્તિને જ્ઞાનદ્રવ્યમાંથી ૨કમ આપી શકાય નહિ. જૈનને શ્રાવકોનું વ્યક્તિગત દ્રવ્ય કે સાધારણ દ્રવ્ય આપી શકાય. ધાર્મિક પાઠશાળા – ધાર્મિક શિક્ષણ ખાતું આ ખાતું સાધર્મિક શ્રાવક-શ્રાવિકાની જ્ઞાનભક્તિ માટેનું ખાતું છે. શ્રાવકશ્રાવિકાઓ દ્વારા ધાર્મિક અધ્યયન-અધ્યાપન માટે જે સ્વદ્રવ્ય અર્પણ કર્યુ હોય તે આ ખાતામાં આવે છે. ઉપયોગ : આ દ્રવ્યમાંથી પાઠશાળાના જૈન-જૈનેતર શિક્ષક-પંડિતને પગાર આપી શકાય છે. આ પાઠશાળા અને તેના પંડિત-શિક્ષકનો લાભ સાધુ-સાધ્વી, શ્રાવકશ્રાવિકા ચારે ય પ્રકારનો સંઘ લઈ શકે છે. – - પાઠશાળામાં ઉપયોગી ધાર્મિક પુસ્તકો અને પાઠશાળાના બાળકો આદિ માટે ઈનામ અને પ્રોત્સાહન યોજનાઓમાં આ ૨કમનો ઉપયોગ કરી શકાય છે. - વ્યવહારિક સ્કૂલ-કોલેજના અભ્યાસ માટે આ દ્રવ્યનો ઉપયોગ ક્યારેય થઈ શકતો નથી. - ધાર્મિક પાઠશાળાનું મકાન કે જમીન વ્યવહારિક શિક્ષણ માટે કે સાંસારિક કાર્ય માટે આપી શકાય નહિ. - પાઠશાળા ઉદ્ઘાટનની બોલીની ઉપજ પાઠશાળા સંબંધી કોઈપણ કાર્યમાં વાપરી શકાય છે. ૬ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy