________________
- પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને ભણવા માટે યોગ્ય પુસ્તકો ખરીદ કરી શકાય છે.
- ગુરુ ભગવંતના માર્ગદર્શનથી જ્ઞાનભંડાર માટે ધાર્મિક-સાહિત્યિક પુસ્તકો ખરીદી શકાય છે.
- પ્રાચીન ધાર્મિક આગમાદિ શાસ્ત્રો લખાવવા, છપાવવા માટે અને તેની સુરક્ષા માટે જરૂરી વસ્તુઓ લાવવા માટે આ દ્રવ્યનો ઉપયોગ કરી શકાય છે.
- જ્ઞાનભંડાર-જ્ઞાનમંદિર શ્રાવકોએ સ્વદ્રવ્યથી જ બનાવવી જોઈએ. પ્રાચીન જ્ઞાનની સુરક્ષા માટે જરૂર પડે તો જ્ઞાનદ્રવ્યમાંથી બનાવી શકાય. પરંતુ જ્ઞાનદ્રવ્યમાંથી બનેલા જ્ઞાનમંદિર-જ્ઞાનભંડારમાં સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સંઘ રહી શકતો નથી. એમાં રાત્રેિ રોકાણ કરી શયન કરી ન શકાય. સાધુસાધ્વીજી ભગવંતો પણ તેમાં ગોચરી-પાણી કરી શકતા નથી.
- જ્ઞાનભંડારમાં પુસ્તકો રાખવા કબાટ ખરીદી શકાય છે. પણ તે કબાટ ઉપર જ્ઞાનદ્રવ્યમાંથી ખરીદેલ કબીટ' આવું સ્પષ્ટ લખવું જોઈએ.
- જ્ઞાનદ્રવ્યમાંથી ખરીદેલા કબાટમાં જ્ઞાન સંબંધી પુસ્તકો કે સામગ્રી જ રાખી શકાય. સાધુ-સાધ્વીજી ભગવંતોનો સામાન, શ્રાવક-શ્રાવિકાને યોગ્ય પૌષધના ઉપકરણ અને ઉપાશ્રયની સામગ્રી રાખી ન શકાય.
- જ્ઞાનભંડારને સંભાળવા માટે રાખેલ જૈનેતર ગ્રંથપાળને પગાર આપી શકાય.
- ધાર્મિક પાઠશાળામાં વિદ્યાર્થી માટે જરૂરી પાંચ પ્રતિક્રમણ આદિના પુસ્તકો જ્ઞાનદ્રવ્યમાંથી ખરીદી ન શકાય. પાઠશાળાના જૈન-જૈનેતર કોઈ પણ પંડિતને પગાર ન આપી શકાય.'
- ટૂંકમાં શ્રાવકોની પાઠશાળા સંબંધી કોઈ પણ ખર્ચો જ્ઞાનદ્રવ્યમાંથી કરી શકાય નહિ.
- જ્ઞાનદ્રવ્યનો અને જ્ઞાનભંડાર-જ્ઞાનમંદિરોનો ઉપયોગ સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ વગેરે વ્યવહારિક શિક્ષણના કાર્યમાં કરી શકાય નહિ.
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો? ૫