________________
- બદામ વગેરે ચીજો એકવાર પ્રભુને ચડાવ્યાં બાદ ફરી ખરીદીને પ્રભુને ચડાવવી કોઈ પણ રીતે યોગ્ય નથી.
૩. જિનાગમ ક્ષેત્ર જ્ઞાનદ્રવ્ય - જ્ઞાનભંડારની રકમ, આગમ કે શાસ્ત્રોની પૂજાથી ઉત્પન્ન દ્રવ્ય, વાસક્ષેપથી જ્ઞાનપૂજા કે જ્ઞાનની અષ્ટપ્રકારી પૂજાના ચડાવા, પ્રતિક્રમણના સૂત્રોને બોલવાની બોલી, સંવત્સરી પ્રતિક્રમણમાં સકળ સંઘને “મિચ્છા મિ દુક્કડમ્' કહેવાની બોલી, કલ્પસૂત્ર-બારસાસૂત્ર અથવા બીજા કોઈપણ સૂત્ર વહોરાવવા આદિના ચડાવા અને શાસ્ત્ર ઉપર જે નાણું ચઢાવાય તે બધું જ જ્ઞાનદ્રવ્યમાં ગણાય.
- મુમુક્ષુને દીક્ષા સમયે પુસ્તક-સાપડો અને નવકારવાળી અર્પણ કરવાના તેમજ આચાર્યાદિ પદ પ્રદાનાદિ સમયે પૂજ્યોને પટ-નવકારવાળી-મંત્ર પટ અર્પણ કરવાના ચડાવાની રકમ જ્ઞાનદ્રવ્ય ગણાય છે.
- જ્ઞાનદ્રવ્યમાંથી છપાયેલા પુસ્તકોના વેચાણની આવક જ્ઞાનખાતામાં જમા કરવી જોઈએ.
- ૪૫ આગમ કે અન્ય કોઈ પણ ધર્મગ્રંથનો જ વરઘોડો હોય જેમાં ભગવાન ન હોય તેવા વરઘોડાના ચડાવાની તમામ ઉપજ જ્ઞાનખાતે જમા કરવી જોઈએ. પરંતુ એ વરઘોડાનો ખર્ચ એ ઉપજમાંથી બાદ કરાય નહિ. એ ખર્ચ વૈયક્તિક કે સાધારણદ્રવ્યમાંથી જ કરવો જોઈએ. જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ :
- જ્ઞાનપાંચમના દિવસે જ્ઞાન સન્મુખ ચડાવેલ પોથી, કવર, પેન-પેન્સિલ, ઘોડાવજ વગેરે સામગ્રીનો ઉપયોગ જ્ઞાનભંડાર માટે કરી શકાય છે. પુસ્તકો અને જ્ઞાન સંબંધી સાધનોનો ઉપયોગ પૂ.સાધુ-સાધ્વીજી ભગવતો કરી શકે છે. શ્રાવક-શ્રાવિકાઓ તેનો ઉપયોગ કરી ન શકે.
- જ્ઞાનદ્રવ્યની રકમમાંથી પૂસાધુ-સાધ્વીજી ભગવંતોને ભણાવનાર જૈનેતર પંડિતને પગાર આપી શકાય છે.
૪
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?