________________
- જિનમંદિરનો જીર્ણોદ્ધાર કે નિર્માણ વગેરે કાર્યોમાં માર્બલ-પથ્થર વગેરે કોઈ પણ વસ્તુ ખરીદવા માટે અથવા તેના મજૂરોને મજૂરી પેઠે જો વેપારી કે મજૂર જૈન હોય તો દેવદ્રવ્ય ન આપી શકાય. - આ ખાતાનું દ્રવ્ય પહેલા ખાતામાં-જિનપ્રતિમાના કામમાં વાપરી શકાય.
- જિનપ્રતિમા અને જિનમંદિર - આ બંને ક્ષેત્રોનું દ્રવ્ય દેવદ્રવ્ય હોવાથી નીચેના કોઈપણ ખાતામાં એનો ક્યારેય ઉપયોગ થાય નહિ.
ઘર દેરાસર ઘરદેરાસરના ભંડારમાં આવેલી રકમ, ત્યાં પ્રાપ્ત થયેલા ચોખા, ફળ, નૈવેદ્ય (મીઠાઈ) વગેરેને વેચવા દ્વારા પ્રાપ્ત થયેલી રકમ દેવદ્રવ્યમાં જાય છે. પરંતુ આ દેવદ્રવ્યની રકમ પોતાના ઘરદેરાસરમાં કોઈ પણ કાર્યમાં વાપરી શકાય નહિ. જો દેવદ્રવ્યની રકમ ભેગી થતી હોય તો એને શ્રીસંઘના મંદિરમાં દેવદ્રવ્ય ખાતામાં જમા કરાવવી અથવા બીજે ક્યાંક જિનમંદિર જીર્ણોદ્ધાર થતો હોય ત્યાં મોકલી આપવી અને ત્યાં શ્રી xxx વ્યક્તિના શ્રી xxx પ્રભુના ઘર દેરાસરની દેવદ્રવ્યની રકમ અર્પણ કરવામાં આવી છે. આવી સૂચના જરૂરથી કરવી.
ઘરદેરાસરનો કોઈપણ નાનો-મોટો સુધારો-ફેરફાર કરવો હોય અથવા પ્રભુજીના આભૂષણ-આંગી વગેરે બનાવવા હોય તો ઘરદેરાસરના દેવદ્રવ્યની આવકમાંથી ન કરાવાય. એ બધાં કાર્યો પોતાના સ્વદ્રવ્યથી જ કરવા જોઈએ.
નિર્માલ્ય દ્રવ્ય - પ્રભુજીની આંગીનો ઉતારો, બાદલું, વરખ વગેરે વેચવાથી પ્રાપ્ત થયેલ રકમ પ્રભુના આભૂષણ-આંગી બનાવવામાં, પ્રભુના ચક્ષુ-ટીકા બનાવવામાં, લેપ-ઓપ કરાવવામાં વાપરી શકાય છે. આ રકમથી દેરાસરનો જીર્ણોદ્ધારનવનિર્માણ પણ કરી શકાય છે.
- પ્રભુજી સમક્ષ ચઢાવેલાં અક્ષત, નૈવેદ્ય, ખડી સાકર, ફળ, બદામ વગેરે દ્રવ્યો સુયોગ્ય કીંમતથી અજૈનોને વેચવી જોઈએ. તેના વેચાણથી પ્રાપ્ત રકમનો ઉપયોગ દેરાસરના નવનિર્માણ-જીર્ણોદ્ધારમાં કરી શકાય છે.
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? 3