________________
૧. ધર્મદ્રવ્યના વહીવટનું માર્ગદર્શન શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ દ્વારા સંચાલિત સાત ક્ષેત્ર આદિના ધર્મદ્રવ્યની વ્યવસ્થા એક શાસ્ત્રીય માર્ગદર્શન
સાત ક્ષેત્રોનાં નામ ૧-જિનપ્રતિમા, ૨-જિનમંદિર, ૩-જિનાગમ, ૪-સાધુ, પ-સાધ્વી,
ક-શ્રાવક અને ૭-શ્રાવિકા.
૧. જિનપ્રતિમા ક્ષેત્રઃ જિનપ્રતિમાને ઉદ્દેશીને પ્રતિમાનિર્માણ, પ્રતિમાપૂજા આદિ કાર્યો માટે કોઈ પણ વ્યક્તિએ ભક્તિથી જે દ્રવ્ય અર્પણ કર્યું હોય તે જિનપ્રતિમા ક્ષેત્રનું દ્રવ્ય (દેવદ્રવ્ય) કહેવાય છે. ઉપયોગ :
- આ દ્રવ્યથી નવી પ્રતિમાજી ભરાવી શકાય. - પ્રભુજીની આંગી (આભૂષણ), ચક્ષુ, ટીકા, તિલક માટે વાપરી શકાય. - પ્રભુ પ્રતિમાને લેપ-ઓપ કરાવી શકાય. - આપત્તિમાં પ્રતિમાજીના રક્ષણ માટેનાં બધાં જ ખર્ચમાં વાપરી શકાય.
નોંધ : શ્રાવક સંઘે પ્રભુ પ્રતિમાનું નિર્માણ સ્વદ્રવ્યથી જ કરવું જોઈએ. પરંતુ સંયોગવશ પ્રભુ પ્રતિમા દેવદ્રવ્યમાંથી બનાવવામાં આવે તો પ્રતિમા ઉપર લખવું જોઈએ કે, “આ પ્રતિમા અમુક સંઘની દેવદ્રવ્યની આવકમાંથી નિર્માણ પામી છે” આવો ઉલ્લેખ કરવો જરૂરી છે.
૨. જિનમંદિર ક્ષેત્રઃ જિનમંદિરને ઉદ્દેશીને પ્રાપ્ત થયેલું દ્રવ્ય જિનમંદિર ક્ષેત્રનું દેવદ્રવ્ય કહેવાય છે. તે જ પ્રમાણે પ્રભુના પાંચે કલ્યાણક ૧-ચ્યવન કલ્યાણક (સ્વપ્ન ઉતારવાના ચડાવા), ૨-જન્મ કલ્યાણક (પારણા અને સ્નાત્ર મહોત્સવના ચડાવા),
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧