________________
શ્રી સાત ક્ષેત્ર પરિચય ઉ-જિન શ્રાવક ક્ષેત્રઃ ૭-જિન શ્રાવિકા ક્ષેત્રઃ પરમાત્મા શ્રી જિનેશ્વરદેવોએ ચાર ગતિરૂપ સંસારથી એક સાથે ઉદ્ધાર કરીને પરમપદ-મોક્ષમાં લઈ જવા માટે સંઘના ચાર રૂપો સ્થાપ્યા છે. એમાં આદ્ય બે પાયા રૂપે સાધુ અને સાધ્વીજી આવે છે તો અંતિમ બે પાયા રૂપે શ્રાવક અને શ્રાવિકા આવે છે.
સાત ક્ષેત્રમાં ઉપરના ત્રણ ક્ષેત્રને જે શિરસાવંદ્ય કરે તે સાધુ અને સાધ્વી કહેવાય. તેમ ઉપરના પાંચ ક્ષેત્રને જીવનમાં પરમ પૂજ્ય માને તે શ્રાવકશ્રાવિકા કહેવાય. ટૂંકમાં જિનાજ્ઞાના આરાધક, ઉપાસક અને વફાદાર હોય તે ગૃહસ્થો શ્રાવક અને શ્રાવિકા ક્ષેત્રમાં ગણાય છે.
શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રમાં સ્થાન-માન ધરાવતા ગૃહસ્થોની બહુમાનપૂર્વક દ્રવ્ય અને ભાવ ભક્તિ કરવી એ પ્રત્યેક શક્તિસંપન્ન શ્રાવક-શ્રાવિકાઓનું કર્તવ્ય છે. આ ભક્તિને જ વ્યર્વહારમાં સાધર્મિક-ભક્તિ કહેવાય છે.
આપણે એક સાથે સાતક્ષેત્રની ભક્તિ અને પ્રત્યેક ધર્માનુષ્ઠાન કરી શકતાં નથી. જ્યારે સાધર્મિકની ભક્તિ કરવાથી તેમના દ્વારા થતી સાતે ક્ષેત્રની ભક્તિ અને તેમના દરેક ધર્માનુષ્ઠાનની અનુમોદનાનો લાભ મળે છે.
સાધર્મિકભક્તિ કરતી વખતે શ્રાવકોની શ્રીમંતાઈ કે ગરીબી વગેરે બાહ્ય પરિસ્થિતિ જોયા વિના માત્ર સાધર્મિક તરીકે તેમના ગુણોને જ જોવા જોઈએ. આર્થિક કે સામાજિક પરિસ્થિતિ જોઈને ક્યારેય સાધર્મિકનું મૂલ્યાંકન કરવું ન જોઈએ. દરેક સાધર્મિકને એક સમાન નજરે જોઈને તેમની ભક્તિ કરવી એ આપણું કર્તવ્ય છે. સાધર્મિકના ગુણો આપણને પણ પ્રાપ્ત થાય એ ઉદ્દેશથી અને “સ્વ-પર બંનેની ધર્મભાવના-ધર્મારાધના વધતી જાય” આ ભાવથી ભક્તિ કરવી જોઈએ. - સાધર્મિકને પરમાત્માના મુક્તિમાર્ગમાં સ્થિર કરવા માટે આપણી
(21)