________________
નિમિત્ત પામીને વિધિવત્ આમંત્રણ આપીને પધરાવવા જોઈએ. એમની નિશ્રામાં વિવિધ પર્વોની આરાધના કરવી જોઈએ.
- દરરોજ બહુમાનપૂર્વક એમને વંદન અને કાર્યપૃચ્છા કરવી જોઈએ.
- તેમના શ્રીમુખે જિનવાણીનું શ્રવણ કરવું, તેના આધારે જીવનમાં જિનાજ્ઞાનું પાલન કરવું. તેમના ઉપદેશનો વધારેમાં વધારે પ્રસાર-પ્રચાર કરવો એ આપણું કર્તવ્ય છે.
- સાધુ જીવનમાં ક્યાંક નાની-મોટી ભૂલ થઈ જાય તો માતા-પિતા-મિત્રરાજા જેવા બનીને વિવિધ શાસ્ત્રીય ઉપાયો દ્વારા યોગ્ય પ્રયત્નો કરીને એમને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેમના જૂનાચરણાદિની કલ્પિતઅકલ્પિત વાતોને મોટું સ્વરૂપ આપીને છાપાં-પત્રિકાના માધ્યમથી સામાન્ય લોકોની સમક્ષ પ્રગટ કરવાથી સરવાળે જૈન શાસનની અવહેલનાનું પાપ લાગે છે. નવી પેઢી ધર્મથી વિમુખ બને છે. આ સૌથી મોટું પાપ છે.
- સાધુ ભગવંતોની જિનાજ્ઞાનુસારી પ્રત્યેક આચરણામાં ઉચિત રીતે સહાયક બની સાધુધર્મની રક્ષા કરવી, આ આપણા દરેક સંઘ-સદસ્યની જવાબદારી છે. તે માટે નીચેના મુદ્દામાં ખાસ ઉપયોગ રાખવો.
- કોઈ પણ સાધુને વીજળી કે વીજાણુંથી ચાલતાં-વપરાતાં સાધનો, સુવિધાઓ-પંખો, કુલર, માઈક, લાઈટ, A.C., ફોન, મોબાઈલ, લેપટોપ, કમ્યુટર, ઈંટરનેટ વગેરેની સુવિધા પૌષધ શાળામાં કે અન્ય કોઈપણ સ્થળે આપવી નહિ..સાધુ સંસ્થાને તેનાથી દૂર રાખવાનો પ્રયત્ન કરવો.
- સામાન્ય સંયોગમાં સામેથી લાવીને અગર દોષિત ગોચરી વહોરાવવી નહિ. | - ચાતુર્માસ, ઉપધાન, મહોત્સવ વગેરે તેમજ અશક્ત/બિમાર સિવાય સ્થિરવાસની વ્યવસ્થા આપવી નહિ. કાયમી રૂમની વ્યવસ્થા વિશેષ કરીને તીર્થસ્થાનમાં ન આપવી.
(19)