________________
શ્રી સાતક્ષેત્ર પરિચય ૪-જિન સાધુક્ષેત્ર પ-જિન સાધ્વીક્ષેત્રઃ
જૈનશાસનની આરાધના, પ્રભાવના, રક્ષા અને ભવ્યજીવોના હૃદયમાં શાસનની સ્થાપના : આ બધી જવાબદારી પ્રભુ મહાવીરદેવે પોતાના હાથે શ્રમણ-શ્રમણી ભગવંતોના વૃષભ કંધો ઉપર મૂકી છે. શક્તિ અને ભક્તિના આલંબનથી શાસનની જવાબદારી વહન કરનારા સાધુ-સાધ્વીજી ભગવંતોની ભક્તિ-સેવા કરવાથી સર્વાગીણ શાસનની ભક્તિનો પણ લાભ મળે છે.
પોતાનું સમસ્ત જીવન શાસનના ચરણે સમર્પિત કરનારા સાધુ-સાધ્વીજી ભગવંતોને નિર્દોષ ગોચરી-પાણી-વસ્ત્ર-પાત્ર-ઔષધિ-વસતિ (ઉપાશ્રય) વગેરેનું દાન કરવાથી આપણા તન-મન-ધન અને જીવન સફળ થાય છે.
આપણા પરિવારના દરેક સભ્યોને સંયમ જીવનનો માર્ગ બતાવવો, એ માર્ગ ઉપર ચાલવા તૈયાર થયેલ પુણ્યાત્માને સહર્ષ અનુમતિ આપવી અને મહોત્સવપૂર્વક એને સંયમમાર્ગ સુધી પહોંચાડવો, એ સાધુ-સાધ્વીજી ક્ષેત્રની સૌથી મહાન ભક્તિ છે. આ વાત હંમેશા યાદ રાખવા જેવી છે.
આપણને સાધુ ભગવંતોની સંયમ મર્યાદાનું પૂરું જ્ઞાન હોવું જરૂરી છે. ગીતાર્થ ગુરુ ભગવંતના સાનિધ્યમાં તે જ્ઞાન મેળવીને સાધ્વાચારના પાલનમાં સાધુ ભગવંતોને સહાયક બનવું એ આપણી ફરજ છે.
સાધુ ભગવંતોની ભક્તિ તેમના માટે નહિ, પરંતુ આપણા આત્મકલ્યાણના હેતુથી કરવાની છે. ભક્તિ કરીને આપણે એમના ઉપર ઉપકાર નથી કરતા. તેઓ આપણી ભક્તિનો સ્વીકાર કરીને આપણા ઉપર ઉપકાર કરે છે.
- આપણા શ્રીસંઘમાં સાધુ-સાધ્વીજી ભગવંતોને ચાતુર્માસ, નવપદ ઓળી, પર્યુષણા, પોષદશમ, વર્ષીતપ પારણાં, પ્રતિષ્ઠા-સાલગીરી આદિ
18