________________
છે. આત્માને પરમાત્મપદની સંપદાને આપતા મહત્ત્વપૂર્ણ આ ક્ષેત્રની ભક્તિનાં અનેક પ્રકાર છે.
પ્રાચીન અને મહિમાવંતી પ્રતિમાની ઉત્તમ દ્રવ્યોથી ભક્તિ કરવી.
આપત્તિના સમયમાં તેની સર્વાંગીણ સુરક્ષા કરવી.
સ્વદ્રવ્યથી નિયમિત અષ્ટપ્રકારી - ત્રિકાળ પૂજા કરવી.
ભક્તિના આલંબનરૂપ પ્રભુની પ્રતિમા જે ક્ષેત્રમાં ન હોય ત્યાં પ્રાચીન કે નવી પ્રતિમા ભરાવી તેની અંજનશલાકા-પ્રતિષ્ઠા કરવી.
જિનપ્રતિમાની સુરક્ષા અને ભક્તિના સ્થાનભૂત જિનમંદિર બંધાવવું. પ્રાચીન જિનમૂર્તિ જીર્ણ હોય તો ઉત્તમ દ્રવ્યોથી ઓપ-લેપ આદિ દ્વારા એની આવરદા વધારવી.
OJA
આવા બીજા પણ અનેક પ્રકારો શાસ્ત્રમાં વર્ણવેલા છે.
બીજા નંબરનું મહાન ક્ષેત્ર ‘જિનમંદિર’ છે. જિનમંદિરએ આત્માનું સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપ અને અનંત સુખ પામવા માટે રાજમહેલ છે. શરીર અને મન સંબંધી આધિ, વ્યાધિ અને ઉપાધિથી ઘેરાયેલા મનને એનાથી ઉગારી ૫૨મ પ્રસન્નતાથી ભરવા માટેનું સર્વોત્તમ સ્થાન જિનમંદિર ગણાય છે.
- તીર્થ સ્વરૂપ પ્રાચીન જિનમંદિરની કાળજી લેવી.
- જીર્ણ તીર્થો, દેરાસરોનો જીર્ણોદ્ધાર કરવો.
- તીર્થભૂમિનો મહિમા વધારવો.
- સ્વદ્રવ્યથી જિનમંદિરની મહાપૂજા કરવી.
14