SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ તમારો પત્ર મળ્યો. અત્રે શ્રી દેવગુરુ પસાયે સુખશાંતિ છે. સ્વપ્નાદિની ઘીની ઉપજ અંગે પૂછાવ્યું તો અમારા ક્ષયોપશમ અનુસાર સુવિહિત ગીતાર્થ સમાચા૨ીને અનુસરતા ભવ્યાત્માઓ તેને દેવદ્રવ્યમાં લઈ જાય છે, અમને પણ એ વ્યાજબી જણાય છે. બાકી વિશેષ ખુલાસો રૂબરૂ થાય. એ જ ધર્મારાધનમાં યથાસાધ્ય ઉદ્યમવંત રહેવું. (આ અભિપ્રાય પૂ.આ.મ.શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.શ્રીના પટ્ટાલંકાર પૂ.આ.મ.શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મ.શ્રીના પટ્ટાલંકાર વર્તમાનમાં પૂ.આ.મ. શ્રી વિજય ધર્મધુરંધરસૂરીશ્વરજી મ.નો છે.) (૨૧) રાજકોટ તા. ૮-૮-૫૪ પં. કનકવિજય ગણિ આદિ ઠા. ૬ તરફથી તત્ર દેવગુરુ-ભક્તિકારક શ્રમણોપાસક સુશ્રાવક અમીલાલ રતિલાલ યોગ્ય ધર્મલાભપૂર્વક લખવાનું કે અત્રે દેવગુરુ કૃપાથી સુખશાતા છે. તમારો તા. ૪-૮-૫૪નો પત્ર મળ્યો. જણાવવાનું કે સ્વપ્નાં, પારણું આ બંન્નેની ઉપજ દેવદ્રવ્ય ગણાય. અત્યાર સુધી સુવિહિત શાસનમાન્ય પૂ.આચાર્યદેવોનો એ જ અભિપ્રાય છે. શ્રી તીર્થંકર દેવોની માતા આ સ્વપ્નોને જુએ છે માટે તે નિમિત્તે જે કંઈ બોલી બોલાય તે શાસ્ત્રદૃષ્ટિએ તથા વ્યવહારદૃષ્ટિએ તેની ઉપજ દેવદ્રવ્ય જ ગણાય. સેનપ્રશ્ન રજા ઉલ્લાસમાં પં. વિજયકુશલગણિકૃત પ્રશ્નના (૩૯મા પ્રશ્નમાં પૂછેલું છે તેના) જવાબમાં જણાવ્યું છે કે દેવને માટે આભૂષણ કરાવ્યા હોય તે ગૃહસ્થને તે આભૂષણો કલ્પે નહિ. કારણ અભિપ્રાય સંકલ્પ દેવનિમિત્તનો હોય તો ન કલ્પે. તે રીતે સંઘ વચ્ચે જે સ્વપ્નાંઓ કે પારણું દેવ સંબંધી છે. તેને અંગે બોલી બોલે તો તે દ્રવ્ય સ્પષ્ટ રીતે સંકલ્પ દેવ સંબંધીનો હોવાથી દેવદ્રવ્ય ગણાય. ૧૯૯૦માં સાધુ સંમેલન થયેલું ત્યારે પણ મૌલિક રીતે પૂ. આચાર્યદેવોએ સ્વપ્નોનું દ્રવ્ય દેવદ્રવ્ય જ ગણાય તેવો નિર્ણય આપેલો છે. તદુપરાંત ૧૯૯૦-૧૯૯૪ની સાલમાં શાંતાક્રુઝ (મુંબઈ)ના સંઘે એવો ઠરાવ કરવાનો વિચાર કરેલો કે સાધારણ ૧૨૦ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy