________________
ચાતુર્માસ આચાર્યાદિ સાધુઓ છે, તથા વેરાવળમાં કંઈક વર્ષોથી આ બાબતનો કેટલા એક આચાર્ય આવી ગયા તથા પંડિત મુનિરાજોના ઉપદેશ, ચર્ચા, વાટાઘાટ ચાલ્યા જ કરે છે, તે સંબંધમાં શાસ્ત્રાધારે તે દ્રવ્ય દેવદ્રવ્ય તરીકે જ છે એમ દાંડી પીટીને મુનિરાજો કહેતા આવ્યા છે અને કહે છે. કોઈ પોતાના ઘરનું કહેતા નથી. પણ શાસ્ત્રાધારે કહે છે એને શાસ્ત્રની શ્રદ્ધાથી માનનારાસ્વીકારનારા ભવભીરૂ આત્માઓ તે મુજબ સ્વીકારી લે છે.
૮૬ : ચરણવિજયજીના ધર્મલાભ.
(૧૨)
શ્રી જૈન વિદ્યાશાળા, વિજાપુર (ગુજરાત)
લિ. આચાર્ય કીર્તિસાગરસૂરિ, મહોદયસાગર ગણિ વિગેરે ઠા. ૮. શ્રી વેરાવળ મધ્યે દેવગુરુ-ભક્તિકા૨ક શા. અમીલાલ રતિલાલભાઈ વગેરે. યોગ્ય ધર્મલાભપૂર્વક જણાવવાનું કે તમારો પત્ર મળ્યો. વાંચી સમાચાર જાણી આનંદ થયો છે. અમો સર્વે સુખશાતામાં છીએ. તમો સર્વે સુખશાતામાં હશો. વિ. લખવાનું કે તમોએ લખ્યું કે સુપન, પારણાં ઘોડીઆ તથા શ્રી ઉપધાનની માળાની બોલીનું ઘી ક્યાં લઈ જવું ? તો જણાવવાનું જે પારણાં ઘોડીયા, શ્રી ઉપધાનની ઉપજ કે ઘી દેવદ્રવ્ય ખાતામાં લઈ જવાય છે. સાધારણ ખાતામાં લઈ જવાતી નથી માટે ઉપધાન વગેરે ઘીની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવી એ જ ધર્મસાધન કરશો.
(૧૩)
પગથીઆનો ઉપાશ્રય, હાજા પટેલની પોળ,
અમદાવાદ શ્રાવણ સુદિ ૧૪
સુશ્રાવક અમીલાલ રતિલાલ યોગ ધર્મલાભપૂર્વક લખવાનું જે દેવ-ગુરુ પસાયથી અત્રે સુખશાતા છે. તા. ૧૦-૯-૫૪નો લખેલો તમારો પત્ર મળ્યો. સમાચાર જાણ્યા, એ સંબંધમાં જણાવવાનું જે :
૧૧૪ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?