________________
ભાયખલા જૈન ઉપાશ્રય, લવલેન
મુંબઈ નં. ૨૭ તા. ૧૫-૮-૫૪ લિ. વિજયામૃતસૂરિ, પં. પ્રિયંકરવિજય ગણિ આદિ. દેવગુરુભક્તિકારક શ્રાવક અમીલાલ રતિલાલ યોગ્ય ધર્મલાભ.
તમારું કાર્ડ લાલવાડીના સરનામાનું મળ્યું. અત્રે પ્રાતઃ સ્મરણીય ગુરુ મહારાજશ્રીના પુણ્ય પસાયથી સુખશાતા વર્તે છે.
દેવદ્રવ્યનો પ્રશ્ન શાસ્ત્ર આધારે ચર્ચાને સાધુ સંમેલનમાં તેનો નિર્ણય થયેલો છે. તે અખિલ ભારતવર્ષીય સાધુ સંમેલનની બુક એક પ્રતાકારે બહાર પડી છે, તેમાં છે તે જોઈ લેજો. ત્યાં આ. વિજયઅમૃતસૂરિજી તથા મુનિશ્રી પાર્થવિજયજી આદિ છે. તેમની પાસેથી ખુલાસો મેળવશો. તેમને સુખશાતા જણાવશો. એ જ અવિચ્છિન્ન પ્રભાવશાળી શ્રી વીતરાગ શાસન પામી ધર્મની આરાધનામાં વિશેષ ઉદ્યમવંત થવું. એ નર જન્મ પામ્યાની સાર્થકતા છે.
अहमदाबाद दिनांक ११-१०-५४ सुयोग्य श्रमणोपासक श्रीयुत शा. अमीलालभाई जोग, धर्मलाभ. पत्र दो मिले. कार्यवशात् विलंब हो गया । खैर, आपने चौद सुपन पालणां घोडिया और उपधान की माला की बोली आदि की घी की बोली की रकम कौन खाते में जमा करना आदि के लिये लिखा उसका प्रत्युत्तर में उपरोक्त बोली परंपरा में आचार्यदेवोने देवद्रव्य में ही वृद्धि करने का फरमाया है । अतः वर्तमान वातावरण में उक्त कार्य में ढिलापन नहि होने देना वरना आपको आलोचनाकें पात्र बनना पडेगा । किमधिकम् ।
A ૮. વિ. હિમાયતસૂરિ થર્મલ્લામ.
(૯)
પાલીતાણાથી લિ. ભુવનસૂરિજીના ધર્મલાભ. કાર્ડ મળ્યો. સમાચાર જાણ્યા. સ્વપ્નાની બોલીના પૈસા દેવદ્રવ્યમાં જ જવા જોઈએ. સાધારણમાં લઈ જવાય નહિ. એ માન્યતાવાળા પૂજ્ય સિદ્ધિસૂરિજી મ. ૧૧૨ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?