________________
પૂ.આ.મ.શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મ. તરફથી.
મુ. વેરાવળ શ્રાવક અમીલાલ રતિલાલ યોગ્ય ધર્મલાભ વાંચશો. તમારો પત્ર મળ્યો, નીચે લખેલ પ્રમાણે સમાચાર જાણશો.
(૧) ઉપધાનની માળાનું ઘી દેવદ્રવ્ય સિવાય બીજે લઈ શકાય નહિ.
(૨) ચૌદ સ્વપ્ન તથા ઘોડિયાં-પારણાનું ઘી પણ દેવદ્રવ્યમાં લઈ જવું તે જ ઉત્તમ છે. મુખ્ય માર્ગ દેવદ્રવ્યમાં જ લઈ જવાનો ધોરી માર્ગ છે. મુનિ સંમેલન અમદાવાદમાં સં. ૧૯૯૦માં થયું ત્યારે પણ ઠરાવમાં એ જ થયું છે જે મુખ્ય માર્ગ દેવદ્રવ્યમાં જ લઈ જવું. ઈત્યાદિ હકીક્ત જાણશો. દેવદર્શન કરતાં યાદ કરશો. - ૬ : લિ. વિજયભક્તિસૂરિ પોતે.
(૪)
પાવાપુરી સુ. ૧૪
પૂ. પરમ ગુરુદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. ત૨ફથી દેવ-ગુરુભક્તિકા૨ક સુશ્રાવક અમીલાલ યોગ ધર્મલાભ. તા. ૧૦નો તમારો પત્ર મળ્યો, જવાબમાં જણાવવાનું જે સ્વપ્નદ્રવ્ય પારણાં ઘોડિયા ઈત્યાદિ શ્રી જિનેશ્વરદેવને ઉદ્દેશીને જે કોઈ બોલીઓનું ઘી થયું હોય તે શાસ્ત્ર મુજબ દેવદ્રવ્યમાં જવું જોઈએ.
આથી વિપરીત રીતે ઉપયોગમાં લેનાર દેવદ્રવ્યના નાશના પાપનો ભાગીદાર થાય છે. એ જ ધર્મની આરાધનામાં સદા ઉજમાલ રહો એ જ એક સદા માટેની શુભાભિલાષા. Z દ : ચારિત્રવિજયના ધર્મલાભ.
(૫)
શ્રાવણ સુદ-૭ શુક્રવાર તા. ૭-૮-૫૪ ગુડાબાલોતરા (રાજસ્થાન)
પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયમહેન્દ્રસૂરીશ્વરજી મહારાજ આદિ. વેરાવળ મધ્યે સુશ્રાવક શા. અમીલાલ રતિલાલ યોગ ધર્મલાભ. લખવાનું કે
૧૧૦ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?