________________
(૧)
અમદાવાદ શ્રાવણ સુદી ૧૨ પરમ પૂજ્ય સંઘસ્થવિર આચાર્યદેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ તરફથી
વેરાવલ મધ્યે શ્રાવક અમીલાલ રતિલાલ જૈન ધર્મલાભ. તમારો પત્ર મળ્યો. વાંચી તમામ બીના જાણી, તમારા પત્રનો ઉત્તર નીચે મુજબ.
ચૌદ સુપન, પારણું, ઘોડિયા તથા ઉપધાનની માળાની બોલીનું ઘી, તે બધી ઉપજ શાસ્ત્ર આધારે દેવદ્રવ્યમાં જ જાય છે અને તે જ વ્યાજબી છે, તેનાં શાસ્ત્રના પાઠ શ્રાદ્ધવિધિ તથા દ્રવ્ય સપ્તતિકા તથા બીજા સિદ્ધાંતના પાઠોમાં છે માટે દેવદ્રવ્યમાં જ જાય. સાધારણમાં જે લોકો લઈ જાય તે તદ્દન ખોટું છે. ધર્મ સાધનમાં ઉદ્યમ રાખશો.
લી. આચાર્યદેવની આજ્ઞાથી, 65 દ : મુનિ કુમુદવિજય તરફથી ધર્મલાભ.
(૨) અહમદનગર ખ્રિસ્તીગલી જૈન ધર્મશાળા સુધી ૧૪
પૂ.પાદ આચાર્યદેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. તરફથી સુશ્રાવક અમીલાલ રતીલાલ યોગ ધર્મલાભ વાંચવા.
તા. ૧૦નો તમારો કાગળ મળ્યો છે. ચૌદ સુપન, પારણા, ઘોડિયાં તથા ઉપધાનની માળાદિનું ઘી (ઉપજ) અમદાવાદ મુનિ સંમેલને શાસ્ત્ર મુજબ દેવદ્રવ્યમાં લઈ જવાનું ઠરાવેલ છે. તે મુજબ તે જ યોગ્ય છે, એ જ ધર્મસાધનામાં ઉદ્યમવંત રહેવું.
6) દ : ત્રિલોચનવિજયના ધર્મલાભ.
(૩) પાલીતાણા સાહિત્ય મંદિર તા. ૫-૮-૫૪ ગુરુવાર.
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો? ૧૦૯