________________
પરિશિષ્ટ-૮ સ્વપ્નની ઉપજનું દ્રવ્ય દેવદ્રવ્યમાં જ જાય ! તેને અંગે પૂ. પાદ સુવિહિત આચાર્યાદિ મહાપુરુષોનો
શાસ્ત્રાનુસારી મહત્ત્વનો આદેશ નોંધ : વિ.સં. ૧૯૯૪માં પૂ.પાદ સુવિહિત શાસનમાન્ય ગીતાર્થ આચાર્ય ભગવંતોના શાસ્ત્રાનુસારી જવાબ સ્વપ્નની ઉપજ દેવદ્રવ્યમાં જ લઈ જવાય તેમાં ભાવ વધારો કરી તે પણ સાધારણમાં ન જાય, તે મુજબનો સ્પષ્ટ તેમજ મક્કમ રૂપે આવેલ. ત્યારબાદ ફરીથી વિ.સં. ૨૦૧૦માં આજ એક મહત્ત્વના પ્રશ્નને અંગે તે હાલમાં સમસ્ત તપાગચ્છના જે.મૂ.સંઘના વિદ્યમાન પૂ.સુવિહિત શાસનમાન્ય આચાર્ય ભગવંતોની સાથે પત્ર વ્યવહાર કરીને તેઓશ્રીનો સ્પષ્ટ અને સચોટ નિર્ણય તથા શાસ્ત્રીય માર્ગદર્શન પ્રાપ્ત કરવા વેરાવલ નિવાસી સુશ્રાવક અમીલાલ રતિલાલે જે પત્ર વ્યવહાર કરેલ તે સંબંધી પૂ.પાદ આચાર્ય ભગવંતોના જે જે જવાબો પ્રાપ્ત થયેલ તે શ્રી મહાવીરશાસન'માં પ્રસિદ્ધ થયેલ તે ફરી ગ્રંથસ્થ થાય તો તે સાહિત્ય હંમેશને માટે પરમતારક શ્રી જૈનશાસનની પ્રત્યે આરાધકભાવે રૂચિ ધરાવનાર કલ્યાણકામી આત્માઓને ઉપયોગી તથા ઉપકારક બને તે જ એક શુભ ઉદ્દેશથી અત્રે પ્રસિદ્ધ થઈ રહેલ છે.
- સંપાદક
૧૦૮ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?