________________
આ જીવે પ્રાયઃ અનંત દેરાસર અને અનંત જિનપ્રતિમા બનાવી હશે. પરંતુ શાસ્ત્રવિધિથી વિપરીત ક૨વાને કા૨ણે સમ્યક્ત્વનો અંશ પણ પ્રાપ્ત થયો નથી. ‘ન પૂછ્યો હોફ તેહિં બિન - નાદો ।'
‘પૂનાણું મળસંતિ મળે – સંતિળ મુદ્દવરે બાળ ।'
આજ્ઞાથી વિપરીતપણે દ્રવ્યાદિ સામગ્રીથી જિનેશ્વરની પૂજા કરી હોય તો પણ તે વાસ્તવિક જિનપૂજા નથી. પૂજાનું ફળ મનની શાંતિ છે અને મનની શાંતિથી ઉત્તરોત્તર શુભધ્યાન પ્રગટ થાય છે.
उपसर्गाः क्षयं यान्ति छिद्यन्ते विघ्नवल्लयः ।
मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे ।।
ભાવભક્તિથી જિનેશ્વર ભગવાનની પૂજા કરવાથી આવનારા ઉપસર્ગો નાશ પામે છે, અંતરાય ક૨ના૨ા કર્મો પણ તૂટી જાય છે અને મનની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.
- અતિચાર :
તથા દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, સાધારણ દ્રવ્ય ભક્ષિત ઉપેક્ષિત પ્રજ્ઞાપરાધે વિણાસ્યો વિણસંતો ઉવેખ્યો, છતી શક્તિએ સારસંભાળ ન કીધી.
ભાવાર્થ : દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, સાધારણ દ્રવ્યનું ભક્ષણ કર્યુ હોય, ભક્ષણ કરનારની ઉપેક્ષા કરી હોય, અજાણતા તેનો વિનાશ કર્યો હોય, વિનાશ ક૨ના૨ની અજાણતા ઉપેક્ષા કરી હોય અને શક્તિ હોવા છતાં તે દ્રવ્યની કાળજી ન રાખી હોય તો અતિચાર લાગે છે. જેની દસ પંદર દિવસે પક્ખી પ્રતિક્રમણમાં માફી માંગવાની હોય છે.
- દ્રવ્યસપ્તતિકા સ્વોપજ્ઞ ટીકા
जिणदव्वऋणं जो धरेइ तस्य गेहम्मि जो जिमइ सड्डो । पावेण परिलिंपइ गेण्हंतो वि हु जइ भिक्खं ।।
જે જિન-દ્રવ્ય (દેવદ્રવ્ય)નો દેવાદાર હોય છે. તેના ઘરે શ્રાવક જમે તો જમનાર તે શ્રાવક પાપથી લેપાય છે. તેના ઘરેથી સાધુ પણ જો ગોચરી ગ્રહણ કરે તો તે પણ પાપથી લેપાય છે.
પ્રશ્ન : દેવદ્રવ્ય-મક્ષ-વૃદ્ધે તેમનાય થનું પતે ? ન વા કૃતિ-મને વા તવ્
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૯૭