SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ तण्हा छुहामि भूई घायण-बाहण-विचुण्णतीय । एआइ - असुह फलाई बीसीअइ भुंजमाणो सो ।। દેવદ્રવ્યાદિના ભક્ષણાદિથી દરિદ્રકુળમાં ઉત્પત્તિ, દરિદ્રતા, કોઢરોગાદિ, બહુ લોકોમાં ધિક્કાર પાત્ર, નિંદા, દૌર્ભાગ્ય, તૃષ્ણા, ભૂખ, ઘાત, ભાર ખેંચવું, પ્રહારાદિ અશુભ ફળોને ભોગવતાં તે જીવ અનંત દુઃખી થાય છે. जइ इच्छह निव्वाणं अहवा लोए सुवित्थडं कित्तिं । ता जिणवरणिद्दिटुं विहिमग्गे आयरं कुणह ।।.. . હે ભવ્ય જીવો ! જો તમને નિર્વાણ (મોક્ષ) પદની ઈચ્છા હોય અથવા લોકમાં હંમેશ માટે પ્રશસ્ત કીર્તિનો વિસ્તાર કરવો છે તો જિનેશ્વરદેવે બતાવેલ વિધિમાર્ગનો આદર કરો. वीतराग ! सपर्यास्तवाज्ञापालनं परम् । आज्ञाराद्धा विराद्धा च शिवाय च भवाय च ।। (वीतराग-स्तोत्र) હે વીતરાગ ! આપની પૂજાથી આજ્ઞાનું પાલન કરવું વધારે શ્રેષ્ઠ છે. કારણ કે આપની આજ્ઞાની આરાધના મોક્ષની પ્રાપ્તિ કરાવે છે અને આજ્ઞાની વિરાધના સંસારમાં ભ્રમણ કરાવે છે. - ઉપદેશ - સપ્તતિકાનાં પાંચમાં અધિકારમાં કહ્યું છે કે – ज्ञानद्रव्यं यतोऽकल्प्यं देव-द्रव्यवदुच्यते । साधारणमपि द्रव्यं कल्पते सङ्घ-सम्मतम् । एकैत्रेव स्थानके देववित्तं क्षेत्र - द्वय्यामेव तु ज्ञानरिक्थम् ।। सप्त क्षेत्र्यां स्थापनीयं तृतीयं श्रीसिद्धान्ते जैन एवं ब्रवीति । દેવદ્રવ્યની જેમ જ જ્ઞાનદ્રવ્ય પણ અકલ્પનીય કહેવાય છે. સાધારણ દ્રવ્ય પણ સંઘની સંમતિ હોય તો સાતક્ષેત્રોમાં કામમાં આવે છે. દેવદ્રવ્ય એક ક્ષેત્રમાં વપરાય છે. જ્ઞાનદ્રવ્ય ઉપરના બે ક્ષેત્રોમાં પણ કામમાં આવે છે. સાધારણ દ્રવ્ય સાતે ક્ષેત્રોમાં કામમાં આવે છે. એમ સિદ્ધાન્તમાં કહ્યું છે. पायेणंतदेऊल जिणपडिमा कारिआओ जियेण । असमंजसवित्तीए न य सिद्धो दंसणलवोवि ।। ૯૬ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો?
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy